રાજ્યોએ તેમના ભાગની રકમ જમા કર્યાનું સ્પષ્ટ થશે એટલે કેન્દ્ર પણ તેના ભાગની 60% રકમ જમા કરી દેશે
Written By newsonline | Ahmedabad | Published: 2020-12-24 10:54:09
કેન્દ્ર સરકારે અનુસૂચિત
જાતિ (એસસી)ના વિદ્યાર્થીઓની સ્કોલરશિપ સીધી બેન્ક ખાતામાં નાખવાનો નિર્ણય લીધો
છે. આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિએ બુધવારે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ સ્કીમના
નિયમોમાં ફેરફારને મંજૂરી આપી. સરકાર 5 વર્ષમાં 4 કરોડથી વધુ એસસી
વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપશે, જેથી તેઓ તેમનું ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરી શકે. રાજ્યોએ
તેમના ભાગની રકમ જમા કર્યાનું સ્પષ્ટ થશે એટલે કેન્દ્ર પણ તેના ભાગની 60% રકમ જમા કરી દેશે.