ભગવાન રામની કથાને તેના સૌથી સાચા અને શુદ્ધ સ્વરૂપમાં જીવંત કરતા સોની એન્ટરટેઈનમેન્ટ ટેલીવિઝન દર્શકો માટે શ્રીમદ રામાયણ પ્રસ્તુત કરી રહ્યા છે
મુંબઈ: ભગવાન રામ પર અત્યાર સુધી ઘણી ફિલ્મો અને સિરીયલ બની ચૂકી છે. આ પાત્રને પડદા પર ઘણા કલાકાર નિભાવી ચૂક્યા છે. જેઓ ઘણી ચર્ચાઓમાં પણ રહ્યા છે. રામ અને રામાયણને સમયાંતરે અલગ રીતે જોવામાં આવી છે. હવે એક વખત ફરીથી રામાયણનો અંદાજ અને રામનો નવો અવતાર પડદા પર જોવા મળવાનો છે. ટૂંક સમયમાં ટીવી પર શ્રીમદ રામાયણ સીરિયલ શરૂ થવાની છે. જેમાં એક વખત ફરીથી રામાયણ જોવા મળશે. એક દિવ્ય ભાવના, ભગવાન રામને પરાક્રમ અને સદાચારનો અવતાર માનવામાં આવે છે.
ભગવાન રામની કથાને તેના સૌથી સાચા અને શુદ્ધ સ્વરૂપમાં જીવંત કરતા સોની એન્ટરટેઈનમેન્ટ ટેલીવિઝન દર્શકો માટે શ્રીમદ રામાયણ પ્રસ્તુત કરી રહ્યા છે, જેનું પ્રીમિયર 1 જાન્યુઆરી 2024એ થશે અને આ દર સોમવારથી શુક્રવારે રાતે 9 વાગે પ્રસારિત થશે. આ પૌરાણિક ગાથા ભારતીય પરિવારોને એક પ્રાચીન આધ્યાત્મિક યુગમાં લઈ જવાનું વચન આપે છે જે સંપૂર્ણ મૂલ્યો અને જીવનની શીખ પર પ્રકાશ નાખે છે, જે આજે પણ પ્રાસંગિક છે.