રિપોર્ટ અનુસાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 માં રણવીર સિંહની એન્ટ્રી કન્ફર્મ થઈ ગઈ છે
મુંબઈ: સાઉથ
સુપરસ્ટાર અલ્લુ અર્જુનની મચ અવેટેડ ફિલ્મ પુષ્પા 2 ની ચાહકો આતુરતાથી રાહ
જોઈ રહ્યા છે. ફિલ્મ સાથે જોડાયેલા અપડેટ જાણવા માટે ચાહકો આતુર રહે છે. અત્યારે
ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યુ છે. જે બાદ મેકર્સ આના પોસ્ટ પ્રોક્શન પર કાર્ય કરશે.
આ દરમિયાન પુષ્પા 2
ને
લઈને એક મોટી અપડેટ સામે આવી છે, જેનાથી ચાહકો ખુશ થઈ ગયા છે. એવી ચર્ચા છે કે મેકર્સે
ફિલ્મમાં બોલીવુડ એક્ટર રણવીર સિંહને એક ખાસ રોલ માટે કાસ્ટ કરવાનું નક્કી કરી
લીધુ છે.
રિપોર્ટ
અનુસાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 માં રણવીર સિંહની એન્ટ્રી કન્ફર્મ થઈ ગઈ છે. રણીવર
ફિલ્મમાં પોલીસ ઓફિસરનો રોલ પ્લે કરતા જોવા મળશે. મેકર્સે પુષ્પા 2 માં રણવીર સિંહને એટલા
માટે કાસ્ટ કર્યો છે કેમ કે તેઓ ફિલ્મની કહાનીમાં વધુ ડ્રામા ઉમેરવા ઈચ્છે છે.
દરમિયાન રણવીર સિંહનું પાત્ર ફિલ્મની કહાનીને વધુ દમદાર બનાવશે, જેનાથી દર્શકોની મજા
બમણી થઈ જશે.પુષ્પા 2
માં
રણવીર સિંહ જ નહીં પરંતુ ઘણા અન્ય કલાકાર પણ કેમિયો કરતા જોવા મળશે.
ઉલ્લેખનીય
છે કે 2021માં આવેલી ફિલ્મ 'પુષ્પા' બાદ લોકો અલ્લુ અર્જુનના
દિવાના થઈ ગયા હતા. અલ્લુ અર્જુને ફિલ્મમાં પુષ્પાનું પાત્ર એટલી શ્રેષ્ઠતાથી
નિભાવ્યુ હતુ કે ફિલ્મનો બીજો ભાગ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.