મધ્યપ્રદેશની 28 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ગ્વાલિયર-ચંબલની 16 બેઠકો છે
મધ્યપ્રદેશમાં લગભગ સાત મહિના પહેલા કોંગ્રેસની સરકાર પડ્યા
પછી ભાજપમાં આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયા પેટાચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની યાદીમાં
સામેલ છે. જો કે તેનું નામ 10માં નંબર પર છે. આ બાબતે કોંગ્રેસે તેમના પર નિશાન સાધ્યું
છે. પાર્ટીનું કહેવું છે કે સિંધિયાને હવે હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે.
કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર સલૂજાએ કહ્યું હતું કે, 'ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં
સિંધિયાના એક પણ સમર્થકનો સમાવેશ થતો નથી, ખુદ સિંધિયાનું નામ પણ 10માં ક્રમે આવે છે. કાલે ડિજિટલ રથ
પણ ગાયબ હતા. તેઓ કોંગ્રેસમાં ચૂંટણી પ્રચાર સમિતિના વડા હતા. શું હાલત થઈ ગઈ
ભાજપમાં? ભોપાલના
સાંસદ પ્રજ્ઞા ઠાકુર પણ ગાયબ છે?
ભાજપે 28 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં પ્રચાર માટે 30 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી
છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું
પણ આમાં નામ નથી. એવું માનવામાં આવે છે કે કેન્દ્રીય નેતૃત્વ પેટાચૂંટણી પ્રચારમાં
અંતર બનાવીને ચાલી રહ્યું છે. આ યાદીમાં ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુરનું નામ પણ
નથી, પરંતુ
સ્થાનિક નેતાઓ તેના પર કંઇપણ બોલવાનું ટાળી રહ્યા છે.
મોદી-શાહને લઈને કોંગ્રેસે ઉઠાવ્યા
સવાલ
કોંગ્રેસના મીડિયા ઉપાધ્યક્ષ ભૂપેન્દ્ર ગુપ્તાએ ભાજપને સવાલ
કર્યા છે કે શું મોદીજી તેમની અપીલ ગુમાવી ચૂક્યા છે. મધ્યપ્રદેશના ભાજપે મોદીજીને
સ્ટાર પ્રચારક કેમ નથી માન્યા? આવી રીતે ભાજપ જે હીરાને કોંગ્રેસમાં શોધીને લાવ્યું હતું
અને જેમને મુખ્યમંત્રીજી દરરોજ નમી નમીને એક સાથે મંચ પર જોવા મળતા હતા, જાણે કે સિંધિયા ન હોત તો મારી
સરકાર ન બની હોત, આજે
તેમણે પણ યાદીમાં છેલ્લે મુકવામાં આવ્યા છે. એવું લાગે છે કે ભાજપના તમામ સ્ટાર
પોતાની ઓળખ ગુમાવી ચૂક્યા છે. કોંગ્રેસ તો પહેલેથી જ જાણે છે કે ભાજપનું કામ ઉપયોગ
કરો અને ફેંકો. અને લાગે છે કે સિંધિયાનો ઉપયોગ ત્યાં પૂરો થઈ ચૂક્યો છે.
ડિઝિટલ રથ પર પણ સિંધિયાનો ફોટો
નહી
ભાજપના
ચૂંટણી પ્રચાર રથના પોસ્ટરમાંથી રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા ગાયબ છે.
આ રથના પોસ્ટરમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ભાજપના પ્રદેશ પ્રમુખ
વી.ડી.શર્માને રાખવામાં આવ્યા છે. રથમાં એલઇડી, સાઉન્ડ અને વીડિયોની સુવિધા છે. તે
રાજ્યની તમામ 28 બેઠકો
પર પ્રચાર કરશે. આ રથો બિહારથી મોકલવામાં આવ્યા છે. એક રથનો એક દિવસનો ખર્ચ આશરે
એક લાખ રૂપિયા છે.
દિગ્વિજયનું પ્રચારમાથી
ગાયબ થવા પર સિંધિયાએ પણ ટીકા કરી
સિંધિયા પોતાની
સભાઓમાં પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયના ચૂંટણી પ્રચારમાથી ગાયબ થવા અંગે સતત ટીકા
કરી રહ્યા છે. ગત દિવસોમાં સિંધિયાએ કારૈરા વિધાનસભામાં કહ્યું હતું કે જ્યારે
ચૂંટણી આવે છે ત્યારે મોટા ભાઈ (દિગ્વિજયસિંહ) પડદા પાછળ પડી જાય છે. જો ચૂંટણી
યોજાય તો કમાન મોટા ભાઈના હાથમાં આવે છે. સિંધિયાએ કહ્યું કે 2018 વિધાનસભાની ચૂંટણીમાં પણ
આવું જ બન્યું હતું અને હવે 2020 માં પણ આવું જ થઈ રહ્યું છે.
સિંધિયાએ પણ પડકાર ફેંક્યો હતો કે દિગ્વિજયે સતત પ્રચાર કરવો જોઈએ. તેઓ જેટલી વધુ
મુલાકાતો કરશે,
લોકો
એટલા જ ભાજપ સાથે જોડાશે.