વકીલ અશોકે આ પહેલા આક્ષેપ મૂક્યો હતો કે સુશાંતની બહેનો ડ્રગ્સ પાર્ટીમાં આવતી હતી
એક્ટર
સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. સુશાંતની પર્સનલ
મેનેજર શ્રુતિ મોદીના વકીલ અશોક સરાવગીએ ફરી આ કેસમાં ખુલાસો કરતા કહ્યું હતું કે
સુશાંતની બહેનો ભાઈની સંપત્તિ લેવા માટે તેને કંટ્રોલમાં રાખતી હતી. વકીલે આ
ખુલાસો કેટલીક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કર્યો છે.
આજ
તકને આપેલા ઈન્ટરવ્યૂમાં અશોકે કહ્યું હતું, સુશાંતની બહેનો સુશાંત પર કંટ્રોલ રાખવા માગતી હતી
અને એ રીતે સંપત્તિ લેવા ઈચ્છતી હતી. 25 તથા 26 નવેમ્બર આ બે દિવસ
સુશાંતના જીવનના મહત્ત્વપૂર્ણ દિવસો હતા. બહેનો સુશાંતને ચંદીગઢ લઈ જવા માગતી હતી
અને સુશાંતના સ્ટાફને કાઢી મૂક્યો હતો.
શ્રુતિ
મોદી પહેલા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર હતી અને તેને સુશાંતની બહેન પ્રિયંકાએ
કાઢી મૂકી હતી. પ્રિયંકા ભાઈના પૈસાથી મોંઘા ઘરેણા ખરીદવા ઈચ્છતી હતી. જ્યારે
સુશાંત પોતાની બહેનો સાથે હતો ત્યારે બહેનો સુશાંત રિયાને ના મળે તે વાતનું ધ્યાન
રાખતા હતા. જોકે,
રિયા
થોડી સેકન્ડ્સ માટે સુશાંતને મળી હતી.
સુશાંતને બહેનોની
ઈચ્છાની ખબર પડી ગઈ હતી
વધુમાં
વકીલે કહ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતના એક સ્ટાફ મેમ્બરે સુશાંતની ત્રણેય
બહેનોને વાત કરતાં સાંભળી લીધા હતા. તેઓ કહેતા હતા કે સુશાંતને તેમની સાથે આવવા તો
દો પછી પૂરી સંપત્તિ તેમની થઈ જશે. આ વાત સુશાંત સુધી પહોંચી ગઈ હતી. ત્યારબાદ
સુશાંતે પોતાની બહેનો સાથે ના જવાનો નિર્ણય કર્યો હતો. તેમની બિઝનેસ ક્લાસની ટિકિટ
પણ કેન્સલ કરી દીધી હતી.
'ઈમ્તિયાઝ ખત્રી' નામનો વ્યક્તિ ડ્રગ્સ
સપ્લાય કરતો હતો
વકીલે
ડ્રગ્સ સપ્લાય કરનાર 'ઈમ્તિયાઝ ખત્રી' નામના વ્યક્તિની ચર્ચા
કરી હતી. અશોકના મતે,
ઈમ્તિયાઝ
બિલ્ડરનો દીકરો છે. તે બોલિવૂડ પાર્ટીમાં આવતો હોય છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ
સામાન્ય છે. પોલીસને પણ ડ્રગ્સ સપ્લાય અંગેની માહિતી રહેતી હોય છે.
વકીલે
એમ પણ કહ્યું હતું કે કાલે તેમને પણ નુકસાન પહોંચાડવામાં આવી શકે છે. ઈમ્તિયાઝ
ખત્રીના સંબંધો મોટા લોકો સાથે છે. તેનું માત્ર બોલિવૂડ સાથે જ કનેક્શન નથી પરંતુ
રાજકીય પાર્ટીઓ સાથે પણ સારા સંબંધો છે. ડ્રગ્સ ટ્રેડમાં સપ્લાય કરનારમાં ઈમ્તિયાઝ
ખત્રીનું નામ સૌથી ઉપર હોય છે.