• Home
  • News
  • ફિલ્મ 'ડંકી'ની રિલીઝ પહેલા માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યો SRK
post

રાજકુમાર હિરાનીએ ડિરેક્ટ કરેલી ફિલ્મ ડંકી 21મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-12 18:14:54

બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન ફરી એકવાર મા વૈષ્ણો દેવીના દરબારમાં દર્શન કરવા પહોંચ્યો હતો.બોલિવૂડના બાદશાહ માટે વર્ષ 2023 ખૂબ જ લકી રહ્યું છે. વર્ષની શરૂઆતમાં અભિનેતાની ફિલ્મ 'પઠાણ' બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. શાહરૂખ ખાનની જવાન પણ બ્લોકબસ્ટર હતી અને હવે કિંગ ખાનની ફિલ્મ 'ડંકી' વર્ષના અંતમાં રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે હવે એક્ટર મા ના દર્શન કરવા પહોંચ્યો છે. 

'ડંકી'ની રિલીઝ પહેલા માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યો SRK


શાહરૂખ ખાનની ત્રીજી ફિલ્મ ડંકી ના રિલીઝ થોડા દિવસો પહેલા એક્ટર મા વૈષ્ણો દેવીના મંદિરે દર્શન કરવા પહોંચી ગયો છે. તે મંગળવારે એટલે કે આજે સવારે માતાના દરબારમાં જોવા મળ્યો હતો. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઇ શકાય છે કે, એક્ટરે બ્લેક કલરના ચશ્મા અને બ્લેક કલરની હુડવાળી જેકેટ પણ  પહેરી હતી. એક્ટર આ દરમિયાન બોડીગાર્ડથી ઘેરાયેલો હતો અને તેની સાથે તેના મેનેજર પણ હતા.

મહત્વનું છે કે, રાજકુમાર હિરાનીએ ડિરેક્ટ કરેલી ફિલ્મ ડંકી 21મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સિવાય તાપસી પન્નુ, વિકી કૌશલ સહિત ઘણા કલાકારોએ 'ડંકી'માં મહત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પ્રભાસની 'સલાર' સાથે ટક્કર કરશે.


adv

Related News

post
post
post
post
post
post
post