• Home
  • News
  • શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું નિવેદન, જાણો ધોરણ. 9 અને 11નું શિક્ષણકાર્ય કયારથી શરૂ થશે?
post

હવે ધોરણ – 9થી 12ના જ ટ્યૂશન ક્લાસિસ ચાલુ કરવા સરકારની પરમિશન મળી ગઈ છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-27 12:31:29

આજે ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ધોરણ 10 અને 12ના ક્લાસ ખૂલ્યા બાદ હવે 1 ફેબ્રુઆરીથી ધોરણ – 9 અને 11નું શિક્ષણકાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. આજે કેબિનેટની બેઠક બાદ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મોટું નિવેદન આપ્યું છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે બાળકોની હાજરી ખૂબ સંતોષકારક છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આજે કેબિનેટની બેઠક બાદ 1 ફેબ્રુઆરીથી ધોરણ – 9 અને 11ના વર્ગો શરૂ કરવા માટે જણાવી દીધું છે. એટલું જ નહીં, કોરોના વખતથી બંધ ટ્યૂશન ક્લાસિસને લઈને પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ટ્યૂશન ક્લાસિસ પણ 1 ફેબ્રુઆરીથી ચાલુ થશે. આ સાથે જ હવે ધોરણ – 9થી 12ના જ ટ્યૂશન ક્લાસિસ ચાલુ કરવા સરકારની પરમિશન મળી ગઈ છે. કોરોના ગાઈડલાઈનના પાલન સાથે શિક્ષણકાર્ય ચાલુ કરાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post