• Home
  • News
  • પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં આત્મઘાતી હુમલો, 6 ચીનના નાગરિકોના મોત
post

વર્ષ 2021માં એક બસમાં થયેલા વિસ્ફોટમાં નવ ચીની નાગરિકો સહિત 13 લોકોના મોત થઈ ગયા હતા.

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-26 17:21:37

પાકિસ્તાન: આતંકીઓના જનક દેશ ગણાતા પાકિસ્તાનમાં વધુ એક મોટી દુર્ઘટના સર્જાઈ. આતંકિસ્તાનના પ્રાંત ખૈબર પખ્તૂનખ્વામાં આત્મઘાતી હુમલાની ઘટના સામે આવી. જેમાં 6 ચીનના નાગરિકોના મોત થયા તપાસ કરી રહેલી પોલીસે જણાવ્યું કે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં મંગળવારે એક આત્મઘાતી હુમલાખોર દ્વારા ચીનના નાગરિકોના કાફલા પર હુમલો કરાયો. હુમલા દરમિયાન થયેલા બોમ્બ વિસ્ફોટમાં પાંચ ચીનના નાગરિકોના મોત થયા છે. હુમલામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા તેની માહિતી સામે નથી આવી. જોકે આ આંકડો વધી શકે તેમ છે.

2021માં 13 લોકોના થયા હતા મોત:

સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકથી ભરેલા એક વાહનથી ચીની ઈન્જિનિયરોના કાફલાને ટક્કર મારી. તમામ ચીની એન્જિનિયર ઈસ્લામાબાદથી ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારના દાસૂમાં પોતાના કેમ્પ જઈ રહ્યા હતા. 6 ચીની નાગરિક અને તેમના પાકિસ્તાની ડ્રાઈવર માર્યા ગયા છે. તેમણે કહ્યું કે, દાસૂમાં મુખ્ય ડેમ છે અને આ વિસ્તારમાં પહેલા પણ આ પ્રકારના હુમલા થઈ ચૂક્યા છે. વર્ષ 2021માં એક બસમાં થયેલા વિસ્ફોટમાં નવ ચીની નાગરિકો સહિત 13 લોકોના મોત થઈ ગયા હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post