• Home
  • News
  • જેઠાલાલ સાથે સુંદરે સેલિબ્રેટ કરી નવરાત્રિ,યુઝર્સે દયા ભાભીને કર્યા યાદ
post

હવે એવા અહેવાલો છે કે દયાબેન ટૂંક સમયમાં શોમાં પરત ફરશે. જો કે, દિશા ફરીથી આ ભૂમિકા ભજવશે કે અન્ય કોઈ અભિનેત્રી કરશે તે અંગે કોઈ પુષ્ટિ થઈ નથી

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-23 18:07:57

નવી મુંબઈ:  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય સિટકોમ છે. શોના તમામ પાત્રો ફેન્સના ફેવરિટ છે. શોમાં જેઠાલાલ અને સુંદરની જોડીને ચાહકો પસંદ કરે છે. તેમની વચ્ચેનો મીઠો અને ખાટો સંબંધ અદ્ભુત છે. નવરાત્રી ચાલી રહી છે અને આ દરમિયાન શોમાં સુંદરનું પાત્ર ભજવી રહેલા એક્ટર મયુર વાકાણીએ ઈન્સ્ટાગ્રામ પર ઘણા વીડિયો અને ફોટો શેર કર્યા છે.

મયુર વાકાણીએ સેર કરેલાં ફોટામાં તે અભિનેતા દિલીપ જોશી સાથે નવરાત્રિની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. આ સાથે લોકો દયાભાભીને પણ યાદ કરી રહ્યાં હતા. યુઝર્સ આપી પ્રતિક્રિયા

મયુરે ગરબા નાઈટના ફોટો અને વીડિયો શેર કર્યા છે. તેમાં દિલીપ જોશી પણ જેઠાલાલના મોરનું સ્ટેપ કરતા જોવા મળે છે. એક યુઝરે લખ્યું- આ કપલ અનોખું છે... આ ફ્રેમમાં દયાબેન ખૂટે છે. અન્ય એક યુઝરે લખ્યું- જીજાજી પૂછી રહ્યા છે કે દયા ક્યારે આવશે. આ સિવાય યુઝર્સ એવી કોમેન્ટ પણ કરી રહ્યા છે કે આ વખતે ટેક્સીનું ભાડું કોણે ચૂકવ્યું. 

શોમાં બતાવવામાં આવ્યું છે કે સુંદર ઘણીવાર કોઈને કોઈ બહાને જેઠાલાલના પૈસા ચોરી લે છે. તે પોતે એક પણ રૂપિયો ખર્ચતો નથી અને તમામ પૈસા જેઠાલાલ નીકાળે છે. 

આ સિવાય શો માં દયાબેન છેલ્લા ઘણા જોવા મળ્યા નથી. શોમાં બતાવવામાં આવ્યું હતું કે, દયાબેન તેના મામાના ઘરે ગયા છે અને હજુ સુધી પાછા આવ્યા નથી. આ શોમાં દિશા વાકાણી દયાબેનનું પાત્ર ભજવી રહી છે. દિશા મેટરનેટી લીવ પર ગયા છે ત્યારથી તે શોમાં પાછી ફર્યા નથી.  હવે એવા અહેવાલો છે કે દયાબેન ટૂંક સમયમાં શોમાં પરત ફરશે. જો કે, દિશા ફરીથી આ ભૂમિકા ભજવશે કે અન્ય કોઈ અભિનેત્રી કરશે તે અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. જેને લઇને પણ અલગ અલગ અપડેટ સામે આવતી રહે છે. 

adv

Related News

post
post
post
post
post
post
post