રહેણાંક ક્વાર્ટરમાં આપઘાત કરી લીધો
Written By newsonline | Ahmedabad | Published: 2020-12-05 14:49:16
સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈએ
આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મહિલા પીએસઆઈ અનિતા જોશીએ પોતાના રહેણાંક
ક્વાર્ટર ખાતે આપઘાત કર્યો છે. સર્વિસ રિવોલ્વરથી ગોળી ચલાવીને આપઘાત કરી લીધો છે.
મહિલા પીએસઆઈના આપઘાતના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
અનિતા જોશીને એક બાળક પણ છે
ઉધના
પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પી.એસ.આઇ અનિતા જોશી ઈન્વેસ્ટીગેશન ચાર્માં
પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતાં. ફાલસાવાડી ખાતે રહેતા હતાં. પરિણીત અનિતા જોશીને એક
બાળક પણ છે. અનિતા જોશીના આપઘાતના પગલે સમગ્ર પોલીસ મહેકમામાં ચકચાર મચી ગઈ છે.
આપઘાતનું કારણ અકબંધ
મહિલા
પીએસઆઈએ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લેવાના કેસમાં આપઘાતનું કારણ અંકબંધ રહેવા
પામ્યું છે. હાલ મૃતકના ઘરને પોલીસ કાફલાએ કોર્ડન કરી લઈને વધુ તપાસ હાથ ધરી છે.