સેનેટમાં થયેલા મતદાનમાં પહેલા આરોપના સમર્થનમાં 52, વિરોધમાં 48 મત પડ્યાં, બીજા આરોપમાં 53-47થી જીત મળી
વોશિંગ્ટનઃ અમેરિકન સંસદના ઉપલા ગૃહ
સેનેટમાં બુધવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
મહાભિયોગના તમામ
આરોપોમાંથી મુક્ત
થઈ
ગયા
છે.
તેમની
પર
સત્તાનો દૂરઉપયોગ કરવા
અને
કોંગ્રેસ(અમેરિકન સંસદ)ના કામમાં અડચણ
ઊભી
કરવાનો
આરોપ
હતો.
સેનેટમાં રિપ્બલિકન્સ(ટ્રમ્પની પાર્ટી)ની બહુમતી છે.
જો
કે,
સત્તાનો દુરઉપોયગ કરવાના
આરોપમાં ટ્રમ્પને 52-48 અને કોંગ્રેસના કામમાં
અડચણ
ઊભી
કરવાના
આરોપમાં 53-47 મત મળ્યા
હતા.
મહાભિયોગના સંકટથી
નીકળનારા ટ્રમ્પ
અમેરિકન ઈતિહાસના ત્રીજા
રાષ્ટ્રપતિ છે.
મહાભિયોગનો પ્રસ્તાવ ડેમોક્રેટ લાવ્યા હતા
18 ડિસેમ્બરે નીચલા
ગૃહ
ઓફ
રિપ્રેઝેન્ટેટિવ્સમાં ટ્રમ્પ
વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ મૂક્યો
હતો.
આરોપ
હતો
કે
તેમણે
યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર જેલેન્સ્કી પર
2020માં
ડેમોક્રેટિક પાર્ટીના સંભવીત
ઉમેદવાર જો
બિડેન
અને
તેમના
દીકરા
વિરુદ્ધ ભ્રષ્ટાચારની તપાસ
માટે
દબાણ
કર્યું
હતું.
બિડેનના દીકરા
યૂક્રેનની એક
ઉર્જા
કંપનીમાં ઓફિસર
છે.
એવો
પણ
આરોપ
હતો
કે
ટ્રમ્પે તેમના
રાજકીય
લાભ
માટે
યૂક્રેનને મળનારી
આર્થિક
મદદને
અટકાવી
હતી.
ત્રણ સદીમાં 3 રાષ્ટ્રપતિઓ પર મહાભિયોગ
અમેરિકાના 243 વર્ષોના ઈતિહાસમાં ત્રીજી
વખત
હતું,
જ્યારે
કોઈ
રાષ્ટ્રપતિ પર
મહાભિયોગની કાર્યવાહી થઈ
હતી.
19મી
સદીમાં
એડ્રયૂ
જોનસન,
20મી
સદીમાં
બિલ
ક્લિન્ટન પર
મહાભિયોગ ચલાવ્યો હતો.
21મી
સદીમાં
ટ્રમ્પ
પર
મહાભિયોગની કાર્યવાહી થઈ
હતી.
જેનાથી
પૂર્વ
જે
બન્ને
રાષ્ટ્રપતિઓ પર
મહાભિયોગ ચલાવાયો હતો,
તે
બીજા
કાર્યકાળમાં ચલાવાયો હતો,
જ્યારે
ટ્રમ્પ
પર
તેમના
પહેલા
જ કાર્યકાળમાં મહાભિયોગ ચલાવાયો છે.
ટ્રમ્પ પહેલા બે રાષ્ટ્રપતિઓ પર મહાભિયોગ શા માટે ચલાવાયો
·
17માં રાષ્ટ્રપતિ ડેમોક્રેટિક પાર્ટીના જોનસન
વિરુદ્ધ ગુનો
અને
દુરાચારના આરોપોમાં હાઉસ
ઓફ
રિપ્રેઝેન્ટેટિવ્સમાં મહાભિયોગ પ્રસ્તાવ પાસ
થયો
હતો.
સેનેટમાં જોનસનના પક્ષમાં મતદાન
થયું
હતું
અને
તેઓ
રાષ્ટ્રપતિ પદ
પરથી
હટવાથી
બચ્યા
હતા.
આવી
જ રીતે 42માં રાષ્ટ્રપતિ બિલ
ક્લિન્ટનને જ્યુરી
સામે
ખોટા
સાક્ષી
બનવા
અને
ન્યાય
આપવામાં અડચણ
ઊભી
કરવાના
કેસમાં
મહાભિયોગનો સામનો
કરવો
પડ્યો
હતો.
·
1974માં રાષ્ટ્રપતિ નિક્સન
પર
તેમના
એક
વિરોધીની જાસૂસી
કરવાનો
આરોપ
લગાવાયો હતો.
પરંતુ
મહાભિયોગ પહેલા
જ તેમને રાજીનામું આપી
દીધું
હતું.
કારણ
કે
તેમને
ખબર
હતી
કે
સેનેટમાં કેસ
જશે
તો
રાજીનામું આપવું
પડશે.