• Home
  • News
  • સંરક્ષણ મંત્રીની સૈન્ય પ્રમુખ સાથે બે વખત બેઠક, મોદી-શાહનું મોડી રાત સુધી મંથન
post

વડાપ્રધાનના નિવાસસ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક યોજાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-17 10:53:36

નવી દિલ્હી: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને ત્રણેય સૈન્ય પ્રમુખો સાથે એક પછી એક બે બેઠકો યોજી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકર પણ તેમાં સામેલ રહ્યા હતા. ત્યાર પછી રાજનાથ સિંહે વડાપ્રધાન મોદીને મળીને સ્થિતિની માહિતી આપી છે.

ત્યાર પછી વડાપ્રધાનના નિવાસસ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક યોજાઈ. જેમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ. જયશંકર હાજર રહ્યા હતા. મોદી-શાહ વચ્ચે મોડી રાત સુધી આગળની રણનીતિ પર મંથન ચાલુ રહ્યું હતું. દિવસ દરમિયાન સશસ્ત્ર દળોની બેઠકો ચાલતી રહી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post