ટેન્ક વિના ખાસ કરીને જેટ્સ વિના હવે મારિયુપોલને બચાવવુ સંભવ નથી.
કીવ: યુક્રેન રશિયા વચ્ચે
યુદ્ધ શરૂ થયે 32
દિવસ
પસાર થઈ ચૂક્યા છે. સોમવારે યુદ્ધનો 33મો દિવસ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર
જેલેંસ્કીનુ કહેવુ છે કે તેઓ રશિયાને સુરક્ષાની ગેરંટી આપવા, તટસ્થ રહેવા અને પોતાને
ન્યુક્લિયર ફ્રી સ્ટેટ જાહેર કરવા માટે તૈયાર છે. બંને દેશોની વચ્ચે ચાલી રહેલા
યુદ્ધ માટે આ સૌથી મહત્વપૂર્ણ બિંદુ છે.
તુર્કીના
ઈસ્તાંબુલમાં બંને દેશોના પ્રતિનિધિ આજે એકવાર ફરીથી આમને-સામને બેસીને વાતચીત
કરશે. પરંતુ આ વાર્તાથી પહેલા રાષ્ટ્રપતિ જેલેંસ્કી સાથે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ છે
કે તે પુતિનની ગેરવાજબી માગો આગળ ઝુકવાના નથી. આ ચર્ચા પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ
વોલોદિમીર જેલેંસ્કીએ કહ્યુ કે જો રશિયન ડિનેજિફિકેશન અને અસૈન્યીકરણની વાત કરશે
તો અમે વાતચીત કરી મેજ પર બેસીશુ પણ નહીં. આ વસ્તુ અમારી સમજની બહાર છે.
જૈવિક હથિયારોના દાવાને
ફગાવ્યા
રશિયાએ યુક્રેન પર
પરમાણુ અને જૈવિક હથિયાર પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરવાનો પણ આરોપ લગાવ્યો છે.
જેંલેસ્કીએ આને ફગાવ્યો. તેમણે કહ્યુ, આ એક મજાક છે. અમારી પાસે પરમાણુ હથિયાર નથી. અમારી
પાસે જૈવિક પ્રયોગશાળાઓ અને રાસાયણિક હથિયાર નથી. આ વસ્તુ યુક્રેનની પાસે નથી.
જેલેંસ્કીના નિવેદનથી
હવે એ પણ લાગી રહ્યુ છે કે રશિયન હુમલાથી યુક્રેની સેનાનુ ઝૂનુન હવે પસ્ત થવા
લાગ્યુ છે. હથિયારોની કમી થઈ રહી છે અને હથિયાર વિના કોઈ પણ સેના દુશ્મનનો સામનો
કરી શકે નહીં. તાજેતરમાં જ રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ કે યુક્રેન રશિયાની મિસાઈલનો
સામનો શોટગન અને મશીનગનથી કરી શકતા નથી. ટેન્ક વિના ખાસ કરીને જેટ્સ વિના હવે
મારિયુપોલને બચાવવુ સંભવ નથી.
છ વાર્તા બિંદુઓમાં 4 પર સંમતિ બનાવવાનો દાવો
વ્લાદિમીર મેડિંસ્કીએ
કહ્યુ કે શાંતિ વાર્તા મંગળવારથી શરૂ થશે અને બુધવારે સમાપ્ત થશે. તુર્કીના
રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ એર્દોગને કહ્યુ કે રશિયા અને યુક્રેન વચ્ચે છ વાર્તા
બિંદુઓમાંથી ચાર પર સંમતિ બની ગઈ છે. જેમાં યુક્રેનનુ નાટોમાં સામેલ થવુ નહીં.
યુક્રેનમાં રશિયન ભાષાનો ઉપયોગ, નિઃશસ્ત્રીકરણ અને સુરક્ષા ગેરંટી સામેલ છે. જોકે, યુક્રેનના વિદેશ મંત્રી
દિમિત્રો કુલેબાએ કહ્યુ કે રશિયાની સાથે પ્રમુખ બિંદુઓ પર કોઈ સંમતિ બની નથી. બંને
દેશની વચ્ચે કેટલાક પ્રકારની વાર્તામાં આ મુદ્દા પર ચર્ચા થઈ છે.