• Home
  • News
  • અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં રોકાણ દરમિયાન વસ્ત્રાપુરની હયાત હોટેલમાં ઉતરશે
post

હયાતની વેબસાઈટ પર આ પાંચ દિવસ માટેના બુકિંગ સ્લોટ દેખાડાતા જ નથી, ફોન પર પણ બુકિંગ લેવા ઈનકાર

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-13 09:21:56

અમદાવાદ: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના આગામી ભારત પ્રવાસ દરમિયાન અમદાવાદ આવવાના છે. મોટાભાગે તેઓ 24 ફેબ્રુઆરીએ સીધા લેન્ડ અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થશે. અમદાવાદમાં રોકાણ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ વસ્ત્રાપુર સ્થિત હોટેલ હયાતમાં ઉતરશે લગભગ નક્કી છે. રસપ્રદ છે કે, અગાઉ ચીનના પ્રમુખ શી જિનપિંગ અમદાવાદ આવ્યા હતા ત્યારે તેઓ પણ વસ્ત્રાપુરની હયાત હોટેલમાં રોકાયા હતા. હોટેલ હયાત દ્વારા પણ રોકાણ અંગેની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વસ્ત્રાપુર હયાત હોટેલે 22થી 26 ફેબ્રુ. સુધીનું બુકિંગ બ્લોક કરી દીધું

વસ્ત્રાપુર સ્થિત હયાત હોટેલની બુકિંગ સાઈટ પર 22થી 26 ફેબ્રુઆરી સુધીનું ઓનલાઈન બુકિંગ બંધ કરી દેવાયું છે. આમ, હયાત હોટેલમાં 22 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી એક પણ રૂમ ઉપલબ્ધ નથી તેવું તેની વેબસાઈટ પર દર્શાવાય છે. આનેપગલે DivyaBhaskar દ્વારા હયાત હોટેલ પર ટેલિફોન કરીને સમયગાળામાં રૂમ બુક કરવાની વાત કરવામાં આવી તો બુકિંગ એક્ઝિક્યુટિવે 22થી 26 ફેબ્રુઆરી સુધી આખેઆખી હોટેલ બુક હોવાનું જણાવી એક પણ રૂમ બુક કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.

આશ્રમ રોડ હયાત રિજન્સીમાં ટ્રમ્પના રસાલાને ઉતારો અપાઈ શકે

એક્ઝિક્યુટિવે એમ પણ જણાવ્યું હતું કે, હયાત હોટેલ અને હયાત રિજન્સી એમ બંને હોટેલમાં 22થી 26 ફેબ્રુઆરી સુધી એક પણ રૂમ ઉપલબ્ધ નથી. આમ, પ્રમુખ ટ્રમ્પ વસ્ત્રાપુર હયાતમાં અને તેમના રસાલાના અન્ય ઉચ્ચાધિકારીઓને તથા મીડિયા કર્મચારીઓને હયાત રિજેન્સીમાં ઉતારો આપવામાં આવી શકે છે. હયાત રિજન્સીથી ગાંધી આશ્રમ નજીક છે અને ટ્રમ્પ વસ્ત્રાપુર હયાતમાંથી નીકળે તે પહેલાં તેમના રસાલાના અધિકારીઓને ગાંધી આશ્રમ પહોંચાડી દેવામાં સરળતા રહે તે હેતુથી હયાતની ઉસ્માનપુરા હોટેલને પણ ચાર દિવસ માટે બ્લોક કરી દેવાઈ હોવાનું મનાય છે.

ચીની પ્રમુખ જિનપિંગ, જાપાનીઝ PM આબે પણ હયાતમાં રોકાયા હતા

અમદાવાદ આવતા કોઈ મોંઘેરા વિદેશી મહેમાન વસ્ત્રાપુરની હયાત હોટેલમાં રોકાવાના હોય તેવી કાંઈ પહેલી ઘટના નથી. ઉલ્લેખનીય છે કે, અગાઉ ચીનના પ્રમુખ શી જિનપિંગ 17 સપ્ટેમ્બર, 2014ના રોજ અમદાવાદ આવ્યા હતા ત્યારે તેઓ પણ વસ્ત્રાપુર હયાત હોટેલમાં રોકાયા હતા. ત્યારબાદ 13 સપ્ટેમ્બર, 2017ના રોજ જાપાનીઝ પ્રમુખ શિન્ઝો આબે પણ તેમના પત્ની સાથે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. પ્રસંગે તેઓ પણ હયાતમાં રોકાયા હતા અને બંને પ્રસંગે હયાત હોટેલના તમામ રૂમ બુક કરી દેવાયા હતા.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post