કોર્ટના આદેશ પછી પણ પતંજલિએ જાહેરાતો બહાર પાડી
નવી દિલ્લી: બાબા રામદેવ પતંજલિ આયુર્વેદની 'ભ્રામક જાહેરાત' મામલે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. છેલ્લી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને પતંજલિના એમડી આચાર્ય બાલકૃષ્ણને નોટિસનો જવાબ દાખલ ન કરવા બદલ ઠપકો આપ્યો હતો અને તેમને 2 એપ્રિલ એટલે કે આજે હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે, કંપનીએ આ મામલે પોતાની ભૂલ માટે બિનશરતી કોર્ટમાં માફી માગી હતી અને કહ્યું હતું કે તેઓ ભ્રામક જાહેરાતો નહીં બતાવે. જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાની બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે. રામદેવ વતી વરિષ્ઠ વકીલ બલબીર સિંહ દલીલો રજૂ કરી રહ્યા છે. આ પહેલાં 27 ફેબ્રુઆરીએ થયેલી સુનાવણીમાં કોર્ટે પતંજલિ આયુર્વેદની ભ્રામક દવાઓની જાહેરાતો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ સિવાય તિરસ્કારની કાર્યવાહીમાં કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી. કોર્ટે ગયા વર્ષે ભ્રામક જાહેરાતો ન આપવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ કંપનીએ તેની અવગણના કરી હતી.
કોર્ટે ભ્રામક દવાઓની
જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો હતો
27 ફેબ્રુઆરીએ થયેલી સુનાવણીમાં કોર્ટે પતંજલિ આયુર્વેદની ભ્રામક દવાઓની જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સિવાય તિરસ્કારની કાર્યવાહીમાં કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી. ખરેખરમાં, કોર્ટે ગયા વર્ષે ભ્રામક જાહેરાતો ન આપવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ કંપનીએ તેની અવગણના કરી હતી.
કોર્ટના આદેશ પછી પણ
પતંજલિએ જાહેરાતો બહાર પાડી
અગાઉની સુનાવણીમાં IMAએ ડિસેમ્બર 2023 અને જાન્યુઆરી 2024માં પ્રિન્ટ મીડિયામાં
જાહેર કરાયેલી જાહેરાતો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. આ સિવાય 22 નવેમ્બર 2023ના રોજ પતંજલિના સીઇઓ
બાલકૃષ્ણ સાથે યોગગુરુ રામદેવની પ્રેસ-કોન્ફરન્સ વિશે પણ જણાવવામાં આવ્યું હતું.
પતંજલિએ આ જાહેરાતોમાં ડાયાબિટીસ અને અસ્થમાને 'સંપૂર્ણપણે ઇલાજ' કરવાનો દાવો કર્યો હતો. આ પ્રેસ-કોન્ફરન્સ
સુપ્રીમ કોર્ટની સુનાવણીના એક દિવસ બાદ કરવામાં આવી હતી. 21 નવેમ્બર 2023ના રોજ થયેલી
સુનાવણીમાં જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું હતું કે - પતંજલિએ ભ્રામક દાવાવાળી તમામ
જાહેરાતો તાત્કાલિક બંધ કરવી પડશે. કોર્ટ આવા કોઈપણ ઉલ્લંઘનને ખૂબ જ ગંભીરતાથી
લેશે અને ઉત્પાદન પરના દરેક ખોટા દાવા માટે 1 કરોડ રૂપિયા સુધીનો દંડ
લાદી શકે છે.