• Home
  • News
  • અમદાવાદથી દિલ્હી જઈ રહેલા એક્ટર મનોજ જોશીએ કહ્યું- ઇન્ડિગોના સ્ટાફને પ્રોપર ટ્રેનિંગની જરૂર
post

અમદાવાદથી દિલ્હી જઈ રહેલા એક્ટર મનોજ જોશીની સીટ નીચે ખાવાની વસ્તુ પડી હોવાથી તેમણે એરલાઈન્સના સ્ટાફ પાસે ટીસ્યુ પેપર માંગ્યુ હતું

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-06 10:59:08

ઇન્ડિગો એરલાઈન્સના સ્ટાફને પ્રોપર ટ્રેનિંગની જરૂર છે તેમ એક્ટર મનોજ જોશીએ મંગળવારે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું.

અમદાવાદથી દિલ્હી જઈ રહેલા એક્ટર મનોજ જોશીની સીટ નીચે ખાવાની વસ્તુ પડી હોવાથી તેમણે એરલાઈન્સના સ્ટાફ પાસે ટીસ્યુ પેપર માંગ્યુ હતું જેથી તેને ત્યાંથી હટાવી શકાય. પરંતુ સ્ટાફે તેમને ટીસ્યુ પેપર આપવાના બદલે તેમની સાથે દુર્વ્યવહાર કરતા તેમણે સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો હતો.

મનોજ જોશીને સ્ટાફે કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ આપ્યો ન હતો. એરલાઈન્સના સ્ટાફની વર્તણૂક બરાબર ન હોવાનું લાગતા તેમણે ફરીથી સ્ટાફને ટ્રેનિંગ આપવાની જરૂર હોવાની ટકોર કરતાં વિવાદ ઊભો થયો છે.

adv

Related News

post
post
post
post
post
post
post