આ ફિલ્મ 27 નવેમ્બર, 2020ના રોજ રિલીઝ થશે
મુંબઈઃ અજય દેવગનની ‘મૈદાન’ને લઈ ચાહકો
ઉત્સુક
છે.
ભારતના
ફૂટબોલના સુર્વણકાળ પર
આધારિત
આ
ફિલ્મમાં હવે
નેશનલ
અવોર્ડ
વિનિંગ
એક્ટ્રેસ પ્રિયામણી જોવા
મળશે.
પ્રિયામણીએ સાઉથની
વિવિધ
ભાષામાં 50થી
વધુ
ફિલ્મ્સ કરી
છે
અને
ત્રણવાર ફિલ્મફેર અવોર્ડ
સહિતના
અનેક
અવોર્ડ
જીત્યા
છે.
ઉલ્લેખનીય છે
કે
પ્રિયામણી બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા
બાલનની
કઝિન
સિસ્ટર
છે.
કીર્તિ
સુરેશના સ્થાને પ્રિયામણી
‘મૈદાન’માં પહેલાં સાઉથ
એક્ટ્રેસ કીર્તિ
સુરેશને લેવામાં આવી
હતી.
કીર્તિએ એક
દિવસનું શૂટિંગ
પણ
કર્યું
હતું.
જોકે,
શૂટિંગના બીજા
દિવસે
જ્યારે
મેકર્સ
તથા
કીર્તિએ પહેલાં
દિવસના
ફૂટેજ
જોયા
તો
તેમને
ખ્યાલ
આવ્યો
કે
એક્ટ્રેસ ઘણી
જ
નાની
દેખાય
છે
અને
તે
ઘણી
જ
પાતળી
લાગે
છે.
ફિલ્મમાં તે
માતાના
રોલમાં
હોવોથી
તેનું
વજન
પણ
વધારે
હોય
તે
ઈચ્છનીય હતું.
મેકર્સ
ફિલ્મની સ્ટોરી
સાથે
સહેજ
પણ
બાંધછોડ કરવા
તૈયાર
નહોતા
અને
તેથી
જ
એક્ટ્રેસ તથા
મેકર્સે સાથે
મળીને
નિર્ણય
લીધો
કે
કીર્તિ
આ
ફિલ્મમાં કામ
કરશે
નહીં.
‘ધ ફેમિલી મેન’માં પ્રિયામણી જોવા મળી હતી
પ્રિયામણી વેબ
સીરિઝ
‘ધ
ફેમિલી
મેન’માં જોવા મળી
હતી.
સીરિઝમાં પ્રિયામણીની એક્ટિંગના વખાણ
થયા
હતાં.
પ્રિયામણી ‘અસુરન’માં જોવા મળશે.
આ
ઉપરાંત
તે
કંગનાની ફિલ્મ
‘થલાઈવી’માં શશિકલાનો રોલ
પ્લે
કરશે.
આ
ફિલ્મ
સ્વ.
જયલલિતાના જીવન
પર
આધારિત
છે.
‘મૈદાન’ 27 નવેમ્બરે રિલીઝ થશે
ઝી
સ્ટૂડિયો તથા
બોની
કપૂર
‘મૈદાન’ને પ્રોડ્યૂસર કરશે.
આ
ફિલ્મને ‘બધાઈ
હો’
ફૅમ
અમિત
શર્મા
ડિરેક્ટ કરી
રહ્યાં
છે.
આ
ફિલ્મ
27 નવેમ્બર, 2020ના
રોજ
રિલીઝ
થશે.
ઉલ્લેખનીય છે
કે
ફિલ્મમાં અજય
દેવગન
પૂર્વ
ફૂટબોલ
કોચ
તથા
ઈન્ડિયન નેશનલ
ટીમના
મેનેજર
સૈયદ
અબ્દુલ
રહીમનો
રોલ
પ્લે
કરવાનો
છે.
સૈયદ
અબ્દુલ
રહીમના
માર્ગદર્શનને કારણે
ફૂટબોલ
ટીમ
1956માં
મેલબોર્ન ઓલિમ્પિક્સમાં સેમી
ફાઈનલ
સુધી
પહોંચી
હતી.