બેંકો સાથે ફ્રોડ કરી માલ્યા માર્ચ 2016માં ભારત છોડીને બ્રિટન ભાગી ગયો હતો
નવી દિલ્હી: બ્રિટનની હાઇકોર્ટે ભારતના ભાગેડુ આર્થિક ગુનેગાર વિજય
માલ્યાની અપીલ ફગાવી દીધી છે. આ સાથે વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણનો રસ્તો સાફ
થઈ ગયો છે. 2018માં, બ્રિટનની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે વિજય માલ્યાના
ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી હતી. માલ્યાએ આની સામે હાઈકોર્ટમાં અપીલ દાખલ
કરી હતી. ત્યારથી આ કેસ પેન્ડિંગ હતો. આ નિર્ણય બાદ માલ્યાના પ્રત્યાર્પણનો મામલો
હવે ગૃહ સચિવ પ્રીતિ પટેલ પાસે જશે, જે અંતિમ
નિર્ણય લેશે.
માલ્યાનું ભારતીય
બેંકો પર રૂ. 9 હજાર કરોડથી વધુનું દેવું
લિકર ઉદ્યોગપતિ વિજય માલ્યા પર
ભારતીય બેંકોને ચૂકવવાના રૂ. 9 હજાર કરોડથી વધુનું દેવું છે.
માલ્યાએ આ લોન તેની કિંગફિશર એરલાઇન્સ માટે લીધી હતી. માર્ચ 2016માં માલ્યા ભારત છોડીને બ્રિટન ભાગી ગયો હતો. ત્યાર બાદથી
ભારતીય એજન્સીઓ માલ્યાને બ્રિટનથી પરત લાવવા પ્રયાસ કરી રહી છે. માલ્યાને 2018માં યુકેની અદાલતે મંજૂરી આપી દીધા બાદ તેને પ્રત્યાર્પણ
કરવાની અપેક્ષા રાખવામાં આવી હતી, પરંતુ તેણે હાઈકોર્ટમાં અપીલ
દાખલ કર્યા બાદ આ કેસ ફરીથી અટકી ગયો હતો.
ઘણી વખત દેવું ચૂકવવાની ઓફર કરી છે
63 વર્ષીય વિજય માલ્યાએ કિંગફિશર
એરલાઇન્સનું સંપૂર્ણ દેવું ભારત સરકારને ચુકવવા માટે અનેક દરખાસ્તો કરી છે.
તાજેતરના લોકડાઉન દરમિયાન માલ્યાએ એક ટ્વીટ દ્વારા ભારત સરકારને સંપૂર્ણ દેવું
ચૂકવવાની દરખાસ્ત કરી હતી. માલ્યાએ કહ્યું હતું કે બેંકો નાણાં લેવા તૈયાર નથી અને
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તેની સંપત્તિને મુક્ત કરવા
તૈયાર નથી. માલ્યાએ લોકડાઉન દરમિયાન તેમની કંપનીઓના કર્મચારીઓને રાહત આપવા સરકારની
મદદ પણ માંગી હતી.
માલ્યા કેસના મોટા અપડેટ્સ
·
2 માર્ચ 2016, વિજય માલ્યા ભારત છોડીને લંડન
પહોંચ્યા હતા.
·
21 ફેબ્રુઆરી 2017, ગૃહ સચિવે
બ્રિટનમાં માલ્યાના પ્રત્યાર્પણ માટે અરજી કરી.
·
18 એપ્રિલ, 2017, વિજય માલ્યાની લંડનમાં ધરપકડ
કરવામાં આવી હતી. જોકે માલ્યાને પણ તે જ દિવસે જામીન મળી ગયા હતા.
·
24 એપ્રિલ 2017, માલ્યા ભારતીય પાસપોર્ટ રદ
કરવામાં આવ્યો હતો.
·
2 મે 2017, તેમણે રાજ્યસભાના સભ્યપદથી રાજીનામું આપ્યું.
·
13 જૂન 2017, વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ
કોર્ટમાં કેસ મેનેજમેન્ટ અને પ્રત્યાર્પણ સુનાવણી શરૂ થઈ.
·
10 ડિસેમ્બર 2018, વેસ્ટમિંસ્ટર કોર્ટના ચીફ
મેજિસ્ટ્રેટ એમ્મા અર્બુથનોટને પ્રત્યાર્પણ કરી અને ફાઇલને ગૃહ સચિવને મોકલી આપી.
·
3 ફેબ્રુઆરી 2019, ગૃહ સચિવે
માલ્યાને ભારત પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપ્યો.
·
5 એપ્રિલ 2019, ઇંગ્લેન્ડ અને વેલ્સની
હાઇકોર્ટના ન્યાયાધીશ ડેવિડે અપીલ કરવાના કાગળો પર મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો.
·
2 જુલાઈ, 2019, મૌખિક સુનાવણીમાં ન્યાયાધીશ
લેગગેટ અને જસ્ટિસ પોપવેલે માલ્યાને અપીલ દાખલ કરવાની મંજૂરી આપી.
·
20 એપ્રિલ 2020, માલ્યાની અપીલ નામંજૂર થઈ.
પ્રત્યાર્પણના અંતિમ નિર્ણય માટે આ બાબત યુકેના ગૃહ સચિવને આપવામાં આવી હતી.
માલ્યા પર આ બેંકોનું દેવું છે
·
સ્ટેટ બેંક
ઓફ ઇન્ડિયા
·
બેંક ઓફ
બરોડા
·
કોર્પોરેશન
બેંક
·
ફેડરલ બેંક
લિમિટેડ
·
આઈડીબીઆઈ
બેંક
·
ઇન્ડિયન
ઓવરસીઝ બેંક
·
જમ્મુ એન્ડ
કાશ્મીર બેંક
·
પંજાબ અને
સિંધ બેંક
·
પંજાબ નેશનલ
બેંક
·
સ્ટેટ બેંક
ઓફ મૈસુર
·
યુકો બેંક
·
યુનાઇટેડ
બેંક ઓફ ઇન્ડિયા
·
જેએમ
ફાઇનાન્સિયલ એસેટ રિકન્સ્ટ્રક્શન