• Home
  • News
  • આંધ્રપ્રદેશના CMનું ડંકે કી ચોટ પર નિવેદન, મુસ્લિમો માટે 4% અનામત કોઈપણ સંજોગોમાં ચાલુ રહેશે, YSRCPનો આ છેલ્લો નિર્ણય છે
post

તેમણે કહ્યું, "પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુ કાચિંડા જેવા છે. એક તરફ, તેઓ ભાજપ સાથે ગઠબંધન કરવા માંગે છે, જે મુસ્લિમ અનામતને ખતમ કરવા માંગે છે તો બીજી તરફ, તેઓ લઘુમતી મત મેળવવા માટે તેમની સાથે હોવાનો ઢોંગ કરે છે." "

Written By newsonline | Ahmedabad | Published: 2024-05-10 12:11:03

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ કહ્યું કે રાજ્યમાં મુસ્લિમો માટે 4% અનામત કોઈપણ ભોગે ચાલુ રહેશે. આ અંગે YSRCP કોંગ્રેસનો આ અંતિમ નિર્ણય છે. રેડ્ડીએ કહ્યું, "લઘુમતીઓને અલગ ચશ્માથી જોવા એ નૈતિક રીતે ખોટું છે. YSRCP મુસ્લિમોની ગરિમા અને સન્માનને સમર્થન આપશે. પછી તે અનામત હોય, નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC), સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) અથવા અન્ય કોઈ બાબત હોય. જગન મોહને અનામતના મુદ્દે ટીડીપી અને ભાજપ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, "પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુ કાચિંડા જેવા છે. એક તરફ, તેઓ ભાજપ સાથે ગઠબંધન કરવા માંગે છે, જે મુસ્લિમ અનામતને ખતમ કરવા માંગે છે. બીજી તરફ, તેઓ લઘુમતી મત મેળવવા માટે તેમની સાથે હોવાનો ઢોંગ કરે છે." "