શબ્દોના આ જાદુગર ગત ફેબ્રુઆરી મહિનામાં જ અમદાવાદ આવ્યા હતા
Written By newsonline | Ahmedabad | Published: 2020-08-12 08:54:02
વીડિયો
ડેસ્કઃ મશહુર શાયર રાહત ઈન્દોરીનું નિધન થયું છે. તેઓ 70 વર્ષના
હતા. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ ઈન્દોરની અરબિંદો હોસ્પિટલ ખાતે તેમનો ઈલાજ
ચાલી રહ્યો હતો, જ્યાં મંગળવાર સવારે તેમને શ્વાસ લેવામાં
ભારે તકલીફ પડતાં ICUમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ એ સારવાર
કારગત નીવડે એ પહેલાં તેમણે આખરી શ્વાસ લીધા હતા. શબ્દોના આ જાદુગર ગત ફેબ્રુઆરી
મહિનામાં જ અમદાવાદ આવ્યા હતા. અમદાવાદમાં આયોજિત સ્વરોત્સવમાં તેમણે ‘બુલાતી
હૈ મગર જાને કા નહિ’ કવિતા સંભળાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા
હતા.