• Home
  • News
  • બ્રિટનમાં કોરોનાથી 7 લાખ લોકોનાં મોત થઇ શકે છે, આ બીજા વિશ્વયુદ્ધથી પણ વધુ
post

યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલની સ્ટડીમાં દાવો, મંદીથી ગરીબી વધી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-11 08:44:44

લંડન: બ્રિટનમાં કોરોના વાઇરસને કારણે આશરે 7 લાખ લોકોના મોત થઇ શકે છે. આ બીજા વિશ્વયુદ્ધના મોત કરતા પણ વધુ છે. આ ચોંકાવનારી વાત યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલના અભ્યાસમાં સામે આવી છે. મંદી, ગરીબી અને બેદરકારીની સ્થિતિમાં આંકડો હજુ વધી શકે છે. 


મંદીની સ્થિતિમાં ગરીબીથી કોરોના જેટલાં જ મોત થશે
શોધકર્તાઓનું અનુમાન છે કે રસી વિના બ્રિટનને કોવિડ-19ને હરાવવા માટે 2024 સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ માટે મજબૂર થવું પડી શકે છે. લોકડાઉનને કારણે મંદી પણ આવી શકે છે. તેથી કોરોના, ખરાબ હેલ્થ સિસ્ટમ અને ગરીબીને કારણે 5 વર્ષમાં 6.75 લાખ લોકોના મોત થઇ શકે છે. યુનિવર્સિટીમાં રિસ્ક મેનેજમેન્ટના પ્રોફેસર ફિલિપ થોમસ કહે છે કે લોકડાઉનથી ધીમે-ધીમે બહાર આવવાની નીતિ ત્યારે અસરકારક છે, જ્યારે આપણે સંક્રમણનો દર એકથી નીચે રાખવામાં સફળ થઇશું. મંદીની સ્થિતિમાં ગરીબીથી કોરોના જેટલાં જ મોત થશે.

adv

Related News

post
post
post
post
post
post
post