યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલની સ્ટડીમાં દાવો, મંદીથી ગરીબી વધી શકે છે
લંડન: બ્રિટનમાં કોરોના
વાઇરસને કારણે આશરે 7 લાખ લોકોના મોત થઇ શકે છે. આ બીજા
વિશ્વયુદ્ધના મોત કરતા પણ વધુ છે. આ ચોંકાવનારી વાત યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલના
અભ્યાસમાં સામે આવી છે. મંદી, ગરીબી અને
બેદરકારીની સ્થિતિમાં આંકડો હજુ વધી શકે છે.
મંદીની સ્થિતિમાં ગરીબીથી કોરોના જેટલાં જ મોત થશે
શોધકર્તાઓનું અનુમાન
છે કે રસી વિના બ્રિટનને કોવિડ-19ને હરાવવા
માટે 2024 સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ માટે મજબૂર થવું
પડી શકે છે. લોકડાઉનને કારણે મંદી પણ આવી શકે છે. તેથી કોરોના, ખરાબ
હેલ્થ સિસ્ટમ અને ગરીબીને કારણે 5 વર્ષમાં 6.75
લાખ લોકોના મોત થઇ શકે છે. યુનિવર્સિટીમાં રિસ્ક
મેનેજમેન્ટના પ્રોફેસર ફિલિપ થોમસ કહે છે કે ‘લોકડાઉનથી
ધીમે-ધીમે બહાર આવવાની નીતિ ત્યારે અસરકારક છે, જ્યારે
આપણે સંક્રમણનો દર એકથી નીચે રાખવામાં સફળ થઇશું. મંદીની સ્થિતિમાં ગરીબીથી કોરોના
જેટલાં જ મોત થશે.