જે સાંસદોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેમને ક્વોરેન્ટાઈન થવાનું કહેવામાં આવ્યું છે
પ્રાપ્ત
માહિતી મુજબ દેશના 30 સાંસદોના કોરોનાનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાંસદોમાં
બીજેપી સાંસદ મીનાક્ષી લેખી, પ્રવેશ સાહિબ સિંહ વર્મા, કર્ણાટકના બીજેપી સાંસદ અનંત કુમાર હેગડે સામેલ છે. આ સિવાય
50 જેટલા સંસદના કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
છે. જે સાંસદોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેમને
ક્વોરેન્ટાઈન થવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય તેમને સંસદમાં ન આવવાની પણ સુચના
આપવામાં આવી છે. સંસદનું મોનસૂન સત્ર શરૂ થતા પહેલા આ સાંસદોનો કોરોનાનો ટેસ્ટ
કરાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય
છે કે આજે સંસદનું મોનસુન સત્ર શરૂ થઈ ગયું છે. કોરોના સંક્રમણના કારણે સંસદમાં
ખૂબ જ સાવધાની રાખવામાં આવી રહી છે. સંસદની કાર્યવાહીમાં માત્ર તે જ સાંસદ ભાગ લઈ
શકે છે, જેમનો કોરોનાનો ટેસ્ટ રિપોર્ટ નિગેટિવ આવ્યો છે. દિલ્હીમાં
સંસદની કાર્યવાહીમાં ભાગ લેવા જઈ રહેલા તમામ સાંસદોનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં
આવી રહ્યો છે.આ દરમિયાન બીજેપી સાંસદ મીનાક્ષી લેખી, પ્રવેશ
સાહિબ સિંહ વર્મા અને અનંત કુમાર હેગડેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ
કારણે આ સાંસદો સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ રહ્યાં નથી.
આ સાંસદો છે કોરોના પોઝિટિવ
ક્રમ નંબર |
સંસદસભ્યનું નામ |
પક્ષનું નામ |
1 |
સુખબિર સિંહ |
BJP |
2 |
હનુમાન બેનિવાલ |
RLP |
3 |
મિનાક્ષી લેખી |
BJP |
4 |
સુકંતા મજુમદાર |
BJP |
5 |
અનંત કુમાર હેગડે |
BJP |
6 |
ગોડ્ડેટી માધવી |
YRSC |
7 |
પ્રતાપ રાવ જાદવ |
શિવસેના |
8 |
જનાર્દન સિંહ |
BJP |
9 |
બિદ્યુત બરન |
BJP |
10 |
પ્રદાન બરુઆ |
BJP |
11 |
એન. રેડ્ડેપ્પા |
YRSC |
12 |
સેલવમ. જી. |
DMK |
13 |
પ્રતાપ રાવ પાટિલ |
BJP |
14 |
રામ શંકર કથેરિયા |
BJP |
15 |
પ્રવેશ સાહિબ સિંહ |
BJP |
16 |
સત્ય પાલ સિંહ |
BJP |
17 |
રોડમલ નાગર |
BJP |
જોકે સાંસદ હનુમાન
બેનિવાલે કહ્યું હતુ કે તેમનો રિપોર્ટ ક્યાંક નેગેટિવ આવી રહ્યો તો ક્યાંક
પોઝિટિવ. આવા સંજોગોમાં તે ક્યાં રિપોર્ટને સાચો માને.