• Home
  • News
  • રાજકારણીઓ સંક્રમિત:મોનસૂન સત્ર પહેલા 30 સાંસદોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો; પ્રવેશ વર્મા, અનંત હેગડે કોરોનાગ્રસ્ત
post

જે સાંસદોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેમને ક્વોરેન્ટાઈન થવાનું કહેવામાં આવ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-15 09:14:19

પ્રાપ્ત માહિતી મુજબ દેશના 30 સાંસદોના કોરોનાનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાંસદોમાં બીજેપી સાંસદ મીનાક્ષી લેખી, પ્રવેશ સાહિબ સિંહ વર્મા, કર્ણાટકના બીજેપી સાંસદ અનંત કુમાર હેગડે સામેલ છે. આ સિવાય 50 જેટલા સંસદના કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે સાંસદોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેમને ક્વોરેન્ટાઈન થવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય તેમને સંસદમાં ન આવવાની પણ સુચના આપવામાં આવી છે. સંસદનું મોનસૂન સત્ર શરૂ થતા પહેલા આ સાંસદોનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આજે સંસદનું મોનસુન સત્ર શરૂ થઈ ગયું છે. કોરોના સંક્રમણના કારણે સંસદમાં ખૂબ જ સાવધાની રાખવામાં આવી રહી છે. સંસદની કાર્યવાહીમાં માત્ર તે જ સાંસદ ભાગ લઈ શકે છે, જેમનો કોરોનાનો ટેસ્ટ રિપોર્ટ નિગેટિવ આવ્યો છે. દિલ્હીમાં સંસદની કાર્યવાહીમાં ભાગ લેવા જઈ રહેલા તમામ સાંસદોનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો છે.આ દરમિયાન બીજેપી સાંસદ મીનાક્ષી લેખી, પ્રવેશ સાહિબ સિંહ વર્મા અને અનંત કુમાર હેગડેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ કારણે આ સાંસદો સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ રહ્યાં નથી.

આ સાંસદો છે કોરોના પોઝિટિવ

ક્રમ નંબર

સંસદસભ્યનું નામ

પક્ષનું નામ

1

સુખબિર સિંહ

BJP

2

હનુમાન બેનિવાલ

RLP

3

મિનાક્ષી લેખી

BJP

4

સુકંતા મજુમદાર

BJP

5

અનંત કુમાર હેગડે

BJP

6

ગોડ્ડેટી માધવી

YRSC

7

પ્રતાપ રાવ જાદવ

શિવસેના

8

જનાર્દન સિંહ

BJP

9

બિદ્યુત બરન

BJP

10

પ્રદાન બરુઆ

BJP

11

એન. રેડ્ડેપ્પા

YRSC

12

સેલવમ. જી.

DMK

13

પ્રતાપ રાવ પાટિલ

BJP

14

રામ શંકર કથેરિયા

BJP

15

પ્રવેશ સાહિબ સિંહ

BJP

16

સત્ય પાલ સિંહ

BJP

17

રોડમલ નાગર

BJP

 

જોકે સાંસદ હનુમાન બેનિવાલે કહ્યું હતુ કે તેમનો રિપોર્ટ ક્યાંક નેગેટિવ આવી રહ્યો તો ક્યાંક પોઝિટિવ. આવા સંજોગોમાં તે ક્યાં રિપોર્ટને સાચો માને.

 

adv

Related News

post
post
post
post
post
post
post