હવે ડબલ્યુએચઓએ પણ કહ્યું છે કે સંક્રમિત લોકોથી પણ કોરોના ફેલાઈ શકે છે
Written By newsonline | Ahmedabad | Published: 2020-07-11 09:21:02
ન્યૂયોર્ક: ડબલ્યુએચઓએ શુક્રવારે
કહ્યું છે કે ભીડભાડવાળા બંધ સ્થળે કોરોના વાઈરસ લાંબો સમય સુધી હવામાં રહી શકે
છે. આ સ્થિતિમાં સંક્રમિત હોવાની સંભાવના વધુ રહે છે. ડબલ્યુએચઓએ પહેલા આ પ્રકારના
સંક્રમણ ફેલાવવાને શંકાસ્પદ ગણાવ્યું હતું. પરંતુ સતત વધતા વિજ્ઞાની અને વાસ્તવિક
પુરાવા પરથી જણાય છે કે વાઈરસનું સંક્રમણ આ રૂટ દ્વારા પણ ફેલાઈ શકે છે.
ચાલુ
સપ્તાહે 200થી વધુ વિજ્ઞાનીઓએ
ડબલ્યુએચઓને પત્ર લખી આ અંગે પોતાના મતની પુન:વિચારણા કરવા કહ્યું હતું. હવે
ડબલ્યુએચઓએ પણ કહ્યું છે કે સંક્રમિત લોકોથી પણ કોરોના ફેલાઈ શકે છે.