• Home
  • News
  • ભારત લોકડાઉનઃ દુરદર્શન પર સવારે અને રાતે બતાવાશે 'રામાયણ', જાણો વિગત
post

હવે દુરદર્શન પર રામાયણ પ્રસારિત કરવાનો નિર્ણય કરતાં લોકોને ફરીથી આ સિરિયલ જોવાનો મોકો મળશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-27 10:53:40

નવી દિલ્લીઃ કોરોના વાયરસના કહેર વચ્ચે દેશમાં વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ 21 દિવસનો લોકડાઉન જાહેર કર્યો છે. કોરોના વાયરસને પગલે એક તરફ દેશની અર્થવ્યવસ્થાને અસર પડી રી રહે છે, તે તો બીજી તરફ મનોરંજન જગત ઠપ્પ થઈ જતા લોકોને પણ જૂના એપિસોડ જોવા પજી રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયા પર લોકો રામાયણ અને મહાભારતનું પુનઃપ્રસારણ કરવાની માંગ કરી રહ્યા છે. આ માંગ સરકારે સ્વીકારી લીધી છે.

આવતી કાલથી દુરદર્શન પર સવારે 9 વાગ્યે અને રાત્રે 9 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે. નોંધનીય છે કે, રામાનંદ સાગરની રામાયણનું પ્રસારણ વર્ષ 1987માં થયું હતું. જેને લોકોએ જે તે સમયે ખૂબ સારો પ્રતિસાદ આપ્યો હતો. એટલું જ નહીં રામાયણ દુરદર્શન પર જે સમયે પ્રસારિત થી હતી, ત્યારે રસ્તા સૂમસામ થઈ જતા હતા. પ્રસારણ સમયે કર્ફ્યૂનો માહોલ જોવા મળતો હતો. હવે દુરદર્શન પર રામાયણ પ્રસારિત કરવાનો નિર્ણય કરતાં લોકોને ફરીથી આ સિરિયલ જોવાનો મોકો મળશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post