ODI વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ 16 નવેમ્બરે ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે, જ્યારે પ્રથમ સેમિફાઇનલ મુંબઈમાં રમાશે
સૌરવ ગાંગુલીએ આશા વ્યક્ત કરી છે કે ODI વર્લ્ડમાં ભારત અને પાકિસ્તાન સેમિફાઇનલ રમશે. તેમણે કહ્યું કે આ વખતે અમને ચેમ્પિયન બનવાની સંભાવના છે. સૌરવ ગાંગુલી શનિવારે 51 વર્ષનો થયાં. સચિન તેંડુલકરે તેમને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી. તેમણે દાદાને દાદી લખીને કહ્યું- દાદી એકમાત્ર એવી વ્યક્તિ છે, જે પોતાનો જન્મદિવસ ઓફ સાઈડમાં સેલિબ્રેટ કરે છે. આ બતાવે છે કે તેમને ઓફ સાઈડ કેટલી પસંદ છે.
સૌરવે પોતાના જન્મદિવસ
પર એક એપ લોન્ચ કરી છે. જેનું નામ સૌરવ ગાંગુલી માસ્ટર ક્લાસ છે. જેમાં તેઓ
ખેલાડીઓને ક્રિકેટ વિશે જણાવશે. સૌરવે એક સ્પોર્ટ્સ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં
ટીમ ઈન્ડિયા અને વર્લ્ડ કપ વિશે વાત કરી હતી.
ઈન્ટરવ્યૂમાં સૌરવે 3 મુદ્દા પર પોતાનો
અભિપ્રાય આપ્યો...
1. ટીમ ઇન્ડિયાઃ ખેલાડીઓ
મેન્ટલી સ્ટ્રોંગ, આ વખતે આશા છે
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ગાંગુલીએ કહ્યું, 'અમે મહત્ત્વપૂર્ણ
પ્રસંગોએ સારું પ્રદર્શન કરતા નથી. મને નથી લાગતું કે તે માનસિક દબાણ છે, પરંતુ અમલનો અભાવ છે.
ટીમના તમામ ખેલાડીઓ મેન્ટલી સ્ટ્રોંગ છે, આશા છે કે તેઓ આ વખતે
લાઇન ક્રોસ કરશે. અમે ડબલ્યુટીસી ફાઈનલ માટે ક્વોલિફાય થયા તે પોતે જ એક સિદ્ધિ
છે. અમારી પાસે ઘણા સારા ખેલાડીઓ છે, આ વખતે તક પણ છે. આશા
છે કે અમે ચેમ્પિયન બનીશું.
2. વર્લ્ડ કપમાં ડોમેસ્ટિક
પ્રેશર: વધારે સમસ્યાઓ નહીં થાય
ભારતે છેલ્લી વખત 2011માં ODI વર્લ્ડ કપની યજમાની કરી હતી અને તે જીતી પણ હતી. શું કેપ્ટન રોહિત શર્મા અને
કોચ રાહુલ દ્રવિડ પર હોમ વર્લ્ડ કપનું દબાણ રહેશે? તેના પર ગાંગુલીએ
કહ્યું, 'દબાણ હંમેશાં રહેશે. દેશમાં છેલ્લી વખત વર્લ્ડ કપ થયો હતો ત્યારે પણ દબાણ
હતું. રોહિત શર્માએ 2019માં 5 સદી ફટકારી હતી. દબાણ હશે, પરંતુ આ કોઈ સમસ્યા નથી. મને ખાતરી છે કે ટીમ કોઈ રસ્તો
શોધી લેશે. જ્યારે રાહુલ દ્રવિડ રમતા હતા ત્યારે પણ દબાણ હતું. હવે તે કોચ છે
ત્યારે તેના પર ટીમના સારા પ્રદર્શનનું દબાણ છે. તે ક્યારેય સમાપ્ત થશે નહીં, પરંતુ તે વધુ
સમસ્યાઓનું કારણ બનશે નહીં."
3. ભારત-પાકિસ્તાન મેચ: જો
PAK ક્વોલિફાય થાય તો સારું
ઈન્ટરવ્યૂમાં ગાંગુલીએ વર્લ્ડ કપમાં સેમિફાઈનલની દાવેદાર ટીમો વિશે પણ
જણાવ્યું હતું. તેમણે કહ્યું, 'કહેવું મુશ્કેલ છે, પરંતુ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ભારત.
ન્યુઝીલેન્ડને પણ ઓછું આંકી શકાતું નથી. હું પાકિસ્તાન સહિત પાંચ ટીમ પસંદ કરીશ.
જો પાકિસ્તાન ક્વોલિફાય થાય તો સારું રહેશે, અમને ઈડન ગાર્ડન્સ
સ્ટેડિયમમાં ભારત-પાક સેમિફાઈનલ જોવા મળશે.
ODI વર્લ્ડ કપની બીજી
સેમિફાઇનલ 16 નવેમ્બરે ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે, જ્યારે પ્રથમ સેમિફાઇનલ
મુંબઈમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે લીગ સ્ટેજની મેચ 15 ઓક્ટોબરે અમદાવાદમાં
યોજાશે. પરંતુ ગાંગુલીનું માનવું છે કે સેમિફાઇનલમાં પણ બંને ટીમો ટકરાશે.