• Home
  • News
  • ગૌરાંગ ભગત બન્યા GCCIની ટ્રેડ કમિટીના ચેરમેન
post

કોરોના સંકટમાં કર્મચારીઓ અને કારીગરો માટે કરેલા કામની ભેટ મળી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-07 12:24:36

અમદાવાદ : મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે કોરોનાકાળ દરમિયાન કરેલી ઉત્તમ કામગીરીના કારણે તેમને ઈનામ મળ્યું છે. તેમને GCCIની ટ્રેડ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. કોરોના સંકટની વચ્ચે તેમણે દેશનું સૌ પ્રથમ ટેક્સટાઈલ વર્ચ્યુઅલ એક્ઝિબિશન ફેબેક્સા શરૂ કરાવ્યું. જેના મારફતે તેમણે કાપડ,રેડિમેઈડ ગારમેન્ટ વગેરે સેક્ટરના વેપારીઓને ઘેરબેઠા શ્રીલંકા, ઈન્ડોનેશિયા, અખાતી દેશોમાં વેપાર અને નિકાસ કરવાની તક પૂરી પાડી.

જરૂરિયાતમંદોને મદદ કરવા માટે જાણીતા:

અમદાવાદના વેપારી-મહાજનો વેપાર ધંધાની સાથોસાથ સખાવત અને જરૂર પડે ત્યારે જરૂરિયામંદોને મદદ કરવામાં પણ જાણીતા છે. લોકડાઉનના કારણે લાંબા સમય સુધી વેપાર, ધંધા,ઉદ્યોગો બંધ રહેતા મસ્કતી કાપડ મહાજને બજારમાં કામ કરતા લારીવાળા અને અન્ય કર્મચારીઓને મદદ કરી. 700થી વધારે લારીવાળાના ખાતામાં 3000 રૂપિયાની સહાય જમા કરાવવામાં આવી. સાથે જ માર્કેટમાં કામ કરતા કર્મચારીઓના સંતાનોના શિક્ષણનો ખર્ચ પણ ઉઠાવી રહ્યું છે. આ સિવાય કર્મચારી કે તેમના પરિવારજનોમાં કોઈ બીમાર હોય કે અન્ય કોઈ મુશ્કેલી હોય તો તેમને પણ સહાય કરી.

adv

Related News

post
post
post
post
post
post
post