જો તેનો કોઈ નિર્ણય મેચમાં ખોટો સાબિત થાય છે તો તે તેને જાહેરમાં સ્વીકારતો જોવા મળે છે અને આવનારી મેચોમાં તેનું પુનરાવર્તન કરતો નથી.
IPL-2023માં આજે રિઝર્વ-ડે પર
ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને 4 વખતની વિજેતા ચેન્નાઈ
સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાશે. ગુજરાત ટાઇટન્સની આ IPLની સફર ઉતાર-ચઢાવથી
ભરેલી રહી છે.
જ્યાં ટીમના ટોચના
ખેલાડીઓમાંથી એક કેન વિલિયમસન પ્રથમ મેચમાં જ ઈજાગ્રસ્ત થયો હતો. તે જ સમયે, KKR સામે 5 છગ્ગા ફટકારીને હાર્યા
પછી પણ, ટીમ આગામી મેચોમાં વાપસી કરી અને 20 પોઈન્ટ સાથે ટેબલમાં
ટોચ પર રહી.
ટીમે 2022થી સૌથી વધુ રન બનાવ્યા
અને વિકેટ પણ લીધી. આ ટીમમાં પર્પલ કેપ ધારક મોહમ્મદ શમી અને ઓરેન્જ કેપ ધારક
શુભમન ગિલ પણ છે.
આજે આપણે એ જાણવાનો
પ્રયત્ન કરીશું કે નવી ટીમ હોવા છતાં ગુજરાતે 2 વર્ષમાં આટલું સારું
પ્રદર્શન કેવી રીતે કર્યું? અમે ગુજરાત ટાઇટન્સની સફળતાને ડીકોડ કરવા માટે 6 પરિબળોને શોર્ટલિસ્ટ
કર્યાં છે. જેમાં લીડરશિપ, ટીમ, મેનેજમેન્ટ, કોચિંગ, સ્ટ્રેટેજી અને લેગેસીનો સમાવેશ થાય છે.
1. ચાલો લીડરશિપથી શરૂઆત કરીએ... હાર્દિક પંડ્યા ટીમનો લીડર છે
પંડ્યાની પહેલી આવડતઃ છેલ્લી બે સિઝનમાં સૌથી સફળ કેપ્ટન
હાર્દિક પંડ્યા જ્યાં સુધી મુંબઈ ઇન્ડિયન્સ માટે રમ્યો તેને કેપ્ટનશિપનું
મટિરિયલ માનવામાં આવ્યો નહીં. ગુજરાતે પંડ્યાને કેપ્ટન બનાવ્યો અને તે અત્યાર
સુધીમાં કેપ્ટન તરીકે 30માંથી 22 આઈપીએલ મેચ જીતી ચૂક્યો છે. 2022થી અન્ય કોઈ કેપ્ટન 16નો આંકડો પાર કરી શક્યો
નથી.
બીજી આવડત: બોલિંગ અને બેટિંગ બંનેમાં ટીમના ટોપ-3
પંડ્યા એ પ્રકારનો કેપ્ટન નથી જે માત્ર કેપ્ટન બનવા માટે ટીમમાં છે. તે છેલ્લી
બે સિઝનને જોતા પોતાની ટીમના બીજા સૌથી વધારે રન બનાવનાર રન-સ્કોરર અને ત્રીજા
સૌથી વિકેટ લેનાર બોલર છે. પંડ્યાએ અત્યાર સુધી ગુજરાત તરફથી રમીને બે સિઝનમાં 812 રન બનાવ્યા છે અને 11 વિકેટ પણ લીધી છે. તમામ
ટીમોના કેપ્ટનના આંકડાઓ પર નજર કરીએ તો માત્ર ફાફ ડુ પ્લેસીસ (1334 રન), કેએલ રાહુલ (890 રન) અને સંજુ સેમસન (820 રન) જ રન બનાવવામાં પંડ્યાથી
આગળ હતા.
નોંધનીય છે કે આ તમામને
તેમની ટીમમાં નિષ્ણાત બેટ્સમેન તરીકે સામેલ કરવામાં આવ્યા છે. સેમસન અને રાહુલ
કીપિંગ પણ કરે છે પરંતુ તેમનું પહેલું કામ રન બનાવવાનું છે. પંડ્યા રન બનાવવાની
સાથે વિકેટ પણ લે છે. અન્ય કોઈ ટીમના કેપ્ટને પંડ્યાથી વધુ વિકેટ લીધી નથી.
ત્રીજી આવડત: ભૂલોમાંથી શીખવું અને તેને સુધારવી
એવું નથી કે પંડ્યાએ આવતાની સાથે જ સર્વશ્રેષ્ઠની કેપ્ટનશિપ શરૂ કરી દીધી હતી.
તેમની પાસે કેટલાક મોરચે ખામીઓ પણ હતી. છેલ્લી સિઝનની શરૂઆતમાં, તે ખેલાડીઓના ખરાબ
પ્રદર્શન માટે તેમની પર આકરા પ્રહારો કરતો જોવા મળ્યો હતો. મોહમ્મદ શમીની નબળી
ફિલ્ડિંગ પર પંડ્યાની બૂમો હેડલાઇન્સમાં આવી હતી. પરંતુ, ત્યારથી તેણે આ બાબતે
ઘણું કામ કર્યું છે. હવે તેને લીગના સૌથી શાનદાર કંપોઝ્ડ કેપ્ટન તરીકે ગણવામાં આવે
છે. જો તેનો કોઈ નિર્ણય મેચમાં ખોટો સાબિત થાય છે તો તે તેને જાહેરમાં સ્વીકારતો
જોવા મળે છે અને આવનારી મેચોમાં તેનું પુનરાવર્તન કરતો નથી.
GT ને ચેઝ પસંદ છે
ચેમ્પિયનના દરજ્જા સાથે આ સિઝનમાં આવતા ગુજરાત ટાઇટન્સે મોટાભાગની મેચોમાં ચેઝ
કરવાનું પસંદ કર્યું હતું. કેપ્ટન હાર્દિક પંડ્યા અને કોચ નેહરા બંનેએ રેકોર્ડ પર
કહ્યું છે કે સારી બેટિંગ સ્થિતિમાં ટીમ ચેઝ કરવાનું પસંદ કરે છે. જોકે, પ્રથમ બેટિંગ કરતી વખતે
ગુજરાતે સારી રમત દેખાડી હતી. ટીમે ચેઝ કરતાં સિઝનની 6 મેચ જીતી છે, જ્યારે 5 મેચમાં પ્રથમ બેટિંગ
કરીને ટીમ પોતાના નામે કરી છે.
વર્તમાન સિઝનમાં
ગુજરાતે લીગ સ્ટેજમાં રમાયેલી 14 મેચમાંથી 10 મેચ જીતી છે, જેમાં ચેઝ કરતી વખતે છ
મેચ જીતી છે. ટીમના ચેઝ કરવાના આંકડાને જોતા તેને ચેઝ માસ્ટર પણ જાહેર કરવામાં આવી
છે.
ટોપ ઓર્ડર બેટ્સમેન, 4 ફિનિશર્સ અને 5 બોલર્સ જીટીને અજેય
બનાવી રહ્યા છે, સાથે સાથે કોચ ગેરી કર્સ્ટન અને આશિષ નેહરા, જેમણે ભારતને વર્લ્ડ
ચેમ્પિયન બનાવ્યું છે, તેમને વ્યૂહાત્મક રીતે અભેદ્ય બનાવે છે.
ટીમમાં અડધો ડઝનથી વધુ
મેચ વિનર છે. આ વર્ષે ગુજરાતના 6 ખેલાડીઓએ 11 મેન ઓફ ધ મેચ ટ્રોફી જીતી છે, જેમાં શુભમન ગીલે સૌથી
વધુ 4, રાશિદ ખાન અને મોહિત શર્માએ 2-2 અને સાઈ સુદર્શન, અભિનવ મનોહર, જોશુઆ લિટલને એક-એક
ટ્રોફી પ્રાપ્ત કરી છે. આ સાથે કેપ્ટન હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમી પણ ટીમની
જીતમાં યોગદાન આપી રહ્યા છે. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે ટીમમાં અનુભવી અને યુવા
બંને મેચ વિનર છે.