બાબર આઝમને ફરીથી ODI અને T20નો કેપ્ટન બનાવવામાં આવ્યો
ઈસ્લામાબાદ: અઝહર મહમૂદ ન્યૂઝીલેન્ડ
સામેની શ્રેણી માટે પાકિસ્તાનના મુખ્ય કોચ હશે. પાકિસ્તાનની ટીમ 18 એપ્રિલથી ન્યૂઝીલેન્ડ
સામે 5 T20 મેચની હોમ સિરીઝ રમવાની છે. શ્રેણીની પ્રથમ ત્રણ મેચ રાવલપિંડીમાં અને બે મેચ
લાહોરમાં રમાશે. ગયા વર્ષે ઓક્ટોબરમાં
ભારતમાં યોજાયેલા વર્લ્ડ કપમાં પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન બાદ મુખ્ય કોચનું પદ
ખાલી છે. PCB અત્યાર સુધી કાયમી કોચની નિમણૂક કરી શક્યું નથી અને વર્લ્ડ કપ બાદથી PCB વિવિધ શ્રેણીઓ માટે
કોચની નિમણૂક કરી રહ્યું છે.
અઝહરે પાકિસ્તાનની ટીમ
સાથે કામ કર્યું છે
અઝહર મહમૂદે 2019માં પાકિસ્તાન ટીમ સાથે બોલિંગ કોચ તરીકે કામ કર્યું છે. તે પાકિસ્તાન સુપર
લીગમાં કોચ છે. તે ઇંગ્લિશ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) તરફથી પ્રમાણિત કોચ પણ
છે.
અન્ય કોચિંગ સ્ટાફની
નિમણૂક
પીસીબીએ મુખ્ય કોચ ઉપરાંત ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી માટે અન્ય કોચિંગ સ્ટાફની
પણ નિમણૂક કરી છે. ભૂતપૂર્વ ક્રિકેટર અને વર્તમાન રાષ્ટ્રીય પસંદગીકાર મુહમ્મદ
યુસુફને બેટિંગ કોચ બનાવવામાં આવ્યા છે. બે ટીમ મેનેજરની પણ નિમણૂક કરવામાં આવી
છે. વહાબ રિયાઝને સિનિયર ટીમ મેનેજર અને ભૂતપૂર્વ સ્પિનર મન્સૂર રાણાને ટીમ
મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ ક્રિકેટર અજમલને સ્પિન બોલિંગ
કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.
બાબરને ફરીથી ODI અને T20નો કેપ્ટન બનાવવામાં
આવ્યો
થોડા દિવસ પહેલા જ બાબર આઝમને ફરી એકવાર ODI અને T20નો કેપ્ટન બનાવવામાં
આવ્યો હતો. ODI વર્લ્ડ કપ 2023માં ખરાબ પ્રદર્શન બાદ બાબરે ત્રણેય ફોર્મેટની કેપ્ટનશિપ છોડી દીધી હતી. આ પછી
શાન મસૂદને ટેસ્ટનો કેપ્ટન અને શાહીન આફ્રિદીને T20 ફોર્મેટનો કેપ્ટન
બનાવવામાં આવ્યો.
ન્યૂઝીલેન્ડ સામે 4-1થી હારનો સામનો કરવો
પડ્યો હતો
શાહીન આફ્રિદીની આગેવાનીમાં ટીમ સારૂં પ્રદર્શન કરી શકી નથી. ન્યૂઝીલેન્ડ
સામેની T20 શ્રેણીમાં ટીમને 4-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ શાન મસૂદની આગેવાનીમાં પાકિસ્તાનની
ટીમને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં 3-0થી હારનો સામનો કરવો
પડ્યો હતો.