• Home
  • News
  • IPL 2024 : સૂર્યકુમાર યાદવનું તૂટ્યું દિલ! શું હાર્દિક પંડ્યાના કેપ્ટન બનવાથી નાખુશ છે SKY?
post

મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને નવો કેપ્ટન બનાવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-16 20:42:00

મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટન પદથી હટાવવાના નિર્ણયનો તેના ફેન્સ ખુબ વિરોધ કરી રહ્યા છે. કેટલાંક ફેન્સ મુંબઈ ઇન્ડિયન્સન જર્સી સળગાવી રહ્યા છે તો કેટલાંક તેની ટોપી બાલી રહ્યા છે. આ દરમિયાન સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલા ભારતની ટીમના T20I કેપ્ટન સૂર્યકુમાર યાદવે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટે તેના અને મુંબઈના ચાહકોને ચોંકાવી દીધી છે. ચાહકો આ પોસ્ટના અલગ અલગ અર્થ લઈ રહ્યા છે.

કેમ તૂટ્યું સૂર્યાનું દિલ?

સૂર્યકુમાર યાદવે સોશ્યલ મીડિયા પર દિલ તૂટવા વાળી ઈમોજી શેર કરી છે. આ પોસ્ટના કેપ્શનમાં તેણે કઈ લખ્યું નથી. પરંતુ તેના આ પોસ્ટ પર તેના ફેન્સ રિએક્ટ કરી રહ્યા છે. કેટલાંક ફેન્સનું માનવું છે કે સૂર્યાએ રોહિતને કેપ્ટન પદથી હટાવવા પર રિએક્ટ કર્યું છે. જયારે કેટલાંક લોકોનું માનવું છે કે સૂર્યાને મુંબઈ ઇન્ડિયન્સની કપ્તાની નથી આપવામાં આવી જેના કારણે તેનું દિલ તૂટી ગયું છે.

સૂર્યાના કેપ્ટન બનવાની ચાલી રહી હતી અટકળો

જણાવી દઈએ કે મુંબઈ ઇન્ડિયન્સે ગઈકાલે રોહિત શર્માને કેપ્ટન પદથી હટાવી દીધો હતો. ફ્રેન્ચાઈઝીએ સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને મુંબઈ ઇન્ડિયન્સનો નવો કેપ્ટન બનાવ્યો છે. આ પહેલા એવો અટકળો હતી કે સૂર્યકુમાર યાદવને મુંબઈનો નવો કેપ્ટન બનાવવામાં આવશે.


adv

Related News

post
post
post
post
post
post
post