આઈસીસી ઈવેન્ટ્સમાં સુરક્ષાના કારણોસર સ્થળ બદલવામાં આવે છે
પાકિસ્તાન 2023 વન-ડે વર્લ્ડ કપમાં
તેની બે લીગ મેચનું સ્થળ બદલવા માગતુ હતું, પરંતુ અહેવાલો અનુસાર, ICC અને BCCIએ તેની માગને ફગાવી
દીધી છે. આ માગને નકારી કાઢવાનો આધાર એ છે કે પાકિસ્તાને જણાવ્યું નથી કે તે સ્થળ
શા માટે બદલવા માગે છે.
પાકિસ્તાન ક્રિકેટ
બોર્ડ (PCB)એ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને બેંગલુરુમાં
ઑસ્ટ્રેલિયા સામે 20 ઑક્ટોબરે રમાનારી બે મેચના સ્થળ બદલવાની વિનંતી કરી હતી. બીજી મેચ 23 ઓક્ટોબરે ચેન્નાઈમાં
અફઘાનિસ્તાન સાથે રમાવાની હતી. પાકિસ્તાન બેંગલુરુમાં અફઘાનિસ્તાન સામે અને
ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમવા માગતુ હતું.
BCCIએ વર્લ્ડ કપનો ડ્રાફ્ટ
શેડ્યૂલ ICCને સુપરત કર્યો છે. જોકે તેને આઈસીસી દ્વારા અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી.
આ ડ્રાફ્ટ મુજબ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ
રમાવાની છે.
આઈસીસી ઈવેન્ટ્સમાં
સુરક્ષાના કારણોસર સ્થળ બદલવામાં આવે છે
સામાન્ય રીતે આઈસીસી ઈવેન્ટ્સમાં, જ્યારે કોઈ સુરક્ષા
સમસ્યા હોય ત્યારે જ સ્થળ બદલવામાં આવે છે. ઉદાહરણ તરીકે, 2016 T20 વર્લ્ડ કપ દરમિયાન, 19 માર્ચે ધર્મશાળામાં
ભારત-પાકિસ્તાન મેચ હતી, પરંતુ ભારત સરકાર તરફથી કડક સુરક્ષાની ખાતરી ન મળવાને કારણે મેચ કોલકાતામાં શિફ્ટ
કરવામાં આવી હતી, પરંતુ PCBની આંતરિક નોંધમાં સુરક્ષા હતી. જોખમનો ઉલ્લેખ નથી.
ચેન્નાઈની પીચ સ્પિનર
માટે મદદરૂપ
ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમની પીચ સ્પિન બોલરની તરફેણ કરે છે અને અફઘાનિસ્તાનની
ટીમ રાશિદ ખાન, નૂર અહેમદ, મુજીબ-ઉર-રહેમાન અને મોહમ્મદ નબી જેવા સ્પિનરો ધરાવે છે. અહેવાલો અનુસાર, તેથી જ પાકિસ્તાન
બેંગલુરુમાં અફઘાનિસ્તાન સામે રમવા માગતુ હતું. આ સિવાય પાકિસ્તાનની
ટીમ ઓસ્ટ્રેલિયા સામે બેંગલુરુમાં રમવા માગતી નથી, જ્યાં પિચ બેટર્સને વધુ
મદદ કરે છે.