દેશની આઝાદી પછી જે પ્રકારની આર્થિક નીતિઓની જરૂર હતી તેવી બની ન શકી. ત્યારે પશ્ચિમી દેશોના મોડલનું આંધળું અનુકરણ કરાયું
Written By newsonline | Ahmedabad | Published: 2020-08-14 10:51:20
નવી દિલ્હી: સ્વદેશીનો અર્થ વિદેશી
વસ્તુઓનો બહિષ્કાર નથી પણ આપણે વિદેશી વસ્તુઓ આપણી શરતો પર લેવાની છે. રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે
બુધવારે પ્રો. રાજેન્દ્ર ગુપ્તાના બે પુસ્તકના ઓનલાઇન વિમોચન વેળાએ સ્વદેશી અભિયાન
અને વિદેશી વસ્તુઓના બહિષ્કાર મુદ્દે ચર્ચા દરમિયાન આ વાત કરી.
મોહન
ભાગવતે કોરોનાકાળમાં વિકાસના નવા મોડલ પર પણ ભાર મૂકતાં કહ્યું કે દેશની આઝાદી પછી
જે પ્રકારની આર્થિક નીતિઓની જરૂર હતી તેવી બની ન શકી. ત્યારે પશ્ચિમી દેશોના
મોડલનું આંધળું અનુકરણ કરાયું.