• Home
  • News
  • કંગનાના બાબરવાળા નિવેદન પર સંજય રાઉતનો જવાબ, ‘બાબરી અમે જ તોડી, અમને શું કહો છો
post

સંજય રાઉતે કહ્યું કે, બદલાની ભાવનાથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-10 10:14:26

કંગના રનૌત અને શિવસેના વચ્ચે ચાલી રહેલાં વિવાદ ફરી એકવાર સામના મારફતે કંગના પર નિશાન સાધવામાં આવ્યું છે. કંગનાએ ઓફિસ તોડવા પર ટ્વીટક કરીને બીએમસીને ટીમને બાબર કહી હતી. તેના પર પલટવાર કરતાં પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, બાબરીને તોડનારા અમે જ, અમને શું કહો છો? આ ઉપરાંત તેઓએ કહ્યું કે, જો કંગના માફી લે છે તો કોઈ વિવાદ નહીં રહીં જાય.

સંજય રાઉતે કહ્યું કે, બાબરી તોડનારા અમે જ છીએ, તો અમને શું શિખવાડો છો. જો કે સંજયે પોતાના આ કટાક્ષમાં કંગના રનૌતનું નામ લીધું ન હતું. તેઓએ ઈશારામાં કંગનાની બાબરવાળી ટ્વીટનો જવાબ આપ્યો હતો. રાઉતે આ ઉપરાંત કહ્યું કે, મનપાએ જે કાર્યવાહી કરી તે તેઓની છે. બીએમસીએ આ સમયે આ નિર્ણય કેમ લીધો, તેનો જવાબ બીએમસીનું તંત્ર આપી શકે છે. અને તેઓને જ સવાલ કરવો જોઈએ. રાઉતે કહ્યું કે, કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેના પર કાર્યવાહી કરવામાં આવે છે.

સંજય રાઉતે કહ્યું કે, બદલાની ભાવનાથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તે એક કલાકાર છે અને મુંબઈમાં રહે છે. તેઓએ મુંબઈ અને મહારાષ્ટ્ર માટે જે ભાષાનો પ્રયોગ કર્યો તે ઉચિત નથી. જો કંગના પોતાના શબ્દોને પરત લે છે તો કોઈ વિવાદ રહી જતો નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post