કોરોના સંકટમાં કર્મચારીઓ અને કારીગરો માટે કરેલા કામની ભેટ મળી
Written By newsonline | Ahmedabad | Published: 2020-10-07 12:35:34
અમદાવાદ :
જેમ્સ એન્ડ જ્લેવરી ટ્રેડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રમુખ શાંતિભાઈ
પટેલને કોરોનાકાળ દરમિયાન કરેલી ઉત્તમ કામગીરીના કારણે ઈનામ મળ્યું છે. તેમને જેમ્સ એન્ડ જ્વેલરી કમિટીના ચેરમેન ચેરમેન બનાવવામાં આવ્યા છે.
કોરોના સંકટની વચ્ચે તેમણે સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના વિકાસનું
કામ કર્યું. અને ઝડપથી ધંધા-વ્યવસાય શરૂ થાય તે માટે પ્રયાસો કર્યા.
જરૂરિયાતમંદોને
મદદ કરવા માટે જાણીતા:
શાંતિભાઈ પટેલ
વેપાર ધંધાની સાથોસાથ સખાવત અને જરૂર પડે ત્યારે જરૂરિયામંદોને મદદ કરવામાં પણ
જાણીતા છે. લોકડાઉનના કારણે લાંબા સમય સુધી વેપાર, ધંધા,ઉદ્યોગો બંધ રહેતા સોના-ચાંદીના
બજારમાં કામ કરતા કર્મચારીઓને મદદ કરી. અને હજુ પણ તે અનેક જરૂરિયાતમંદોને આર્થિક
રીતે મદદ કરી રહ્યા છે.