શેખ મુજીબુર્ર રહેમાનના હત્યારા અબ્દુલ માજિદને ફાંસી આપી
Written By newsonline | Ahmedabad | Published: 2020-04-13 11:03:02
ઢાકા: બાંગ્લાદેશના
સંસ્થાપક તેમજ સ્વતંત્રતા સેનાની શેખ મુજીબુર્ર રહેમાનની હત્યાના દોષિતોમાંના એક
અબ્દુલ માજિદને ઢાકાની સેન્ટ્રલ જેલમાં ફાંસી આપી દેવાઇ. કાયદા મંત્રી અનિસુલ હકે
જણાવ્યું કે માજિદને શનિવારે રાત્રે 12:01 કલાકે
ફાંસીએ લટકાવ્યો હતો. ડોક્ટરે માજિદને 12:15 કલાકે
મૃત જાહેર કર્યો હતો. બાંગ્લાદેશની આતંકવાદ વિરોધી પોલીસે માજિદની ઢાકામાંથી
થોડા દિવસ પહેલાં ધરપકડ કરી હતી. તેણે કબુલ્યુ હતું કે તે આશરે 23 વર્ષ
સુધી કોલકાતામાં છુપાયેલો હતો. 15-16 માર્ચે
જ ઢાકા પરત ફર્યો હતો. શેખ મુજીબુર્રની હત્યા 15 ઓગસ્ટ 1975ના
સૈન્ય બળવામાં થઇ હતી. આ બળવામાં તેમના પરિવારના મોટાભાગના સભ્યો અને અન્ય ઘણાં
લોકોની હત્યા કરી દેવાઇ હતી.