કંગના નવ સપ્ટેમ્બરના રોજ કેન્દ્રે આપેલી Y કેટેગરી સિક્યોરિટી સાથે મુંબઈ આવશે
શિવસેનાના
IT સેલે કંગના રનૌત વિરુદ્ધ થાનેના શ્રીનગર
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. IT સેલે ડિમાન્ડ
કરી છે કે કંગના પર રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવે, કારણ કે
તેણે મુંબઈની તુલના PoK સાથે કરી હતી. આ અંગે કાયદા નિષ્ણાતનો
અભિપ્રાય લેવામાં આવશે. તો બીજી બાજુ BMCએ કંગનાની
ઓફિસની બહાર ગેરકાયદેસર નિર્માણની નોટિસ લગાડી છે. કંગનાએ ટ્વીટ કરીને આ અંગેની
માહિતી આપી હતી.
કંગના નવ સપ્ટેમ્બરના રોજ Y કેટેગરીની
સુરક્ષા સાથે મુંબઈ આવશે. આ દરમિયાન BMCએ કહ્યું
હતું કે કંગનાને સાત કે 14 દિવસ માટે ક્વૉરન્ટીન કરવામાં આવશે. જોકે, તે સાત
દિવસની અંદર જ પાછા જવાની ટિકિટ બતાવે છે તો તેને ક્વૉરન્ટીનના નિયમાં છૂટ મળી શકે
છે. કોરોનાના વધતા કેસોને કારણે BMCના નિયમ પ્રમાણે
ફ્લાઈટથી મુંબઈ આવતા લોકોએ સાત દિવસ ક્વૉરન્ટીન થવું જરૂરી છે.
સોમવારે
કંગનાની ઓફિસમાં દરોડા પડ્યા
કંગનાએ થોડાં દિવસ પહેલાં એક ટ્વીટમાં મુંબઈની તુલના PoK સાથે કરી
હતી. ત્યારબાદ શિવસેના સતત એક્ટ્રેસ પર શાબ્દિક પ્રહારો કરી રહ્યું છે. કંગનાએ ગયા
અઠવાડિયે એક વીડિયો શૅર કરીને શિવસેના તેને ધમકી આપે છે, તેવો
આક્ષેપ કર્યો હતો. સાત સપ્ટેમ્બરના રોજ કંગનાને Y કેટેગરીની
સુરક્ષા આપવામાં આવી હતી. ત્યારબાદ BMCએ કંગનાની
પ્રોડક્શન કંપનીની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. કંગનાએ સોશિયલ મીડિયામાં આ અંગેની
માહિતી આપી હતી.