વિરાટ કોહલીએ સોમવારે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સ્ટોરી શેર કરી હતી
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો લેટેસ્ટ ફોટો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે વિરાટનો ફોટો જોઇને ફેંન્સને ક્રિકેટરની ચિંતા થવા લાગી અને સવાલ થવા લાગ્યા કે, આખરે તેમના ફેવરેટ સ્ટાર ક્રિકેટરને થયું શું? ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો લેટેસ્ટ ફોટો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહ્યો છે
વિરાટ કોહલીએ સોમવારે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સ્ટોરી શેર કરી હતી. તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફોટો શેર કરતા કોહલીએ લખ્યું, “તમારે બીજા માણસને જોવો જોઈએ.” આ ફોટામાં કોહલી સફેદ ટી-શર્ટમાં છે પરંતૂ તેમના ચહેરા પર ઈજાના નિશાન છે. તેના નાક પર બેન્ડ-એડ પણ હતી, પરંતુ તેના ચહેરા પર સ્મિત હતું. કોહલીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને ચાહકોએ ઘણી અટકળો લગાવી હતી.
જો કે વિરાટે એ સ્પષ્ટ કર્યું નથી કે આ ફોટો ક્યારે લેવામાં આવ્યો છે. તેણે શા માટે આ ફોટો શેર કર્યો?
એડની શૂટિંગ
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફોટો કોઈ જાહેરાતના શૂટિંગનો હોઈ શકે છે. કોહલીને કોઈ વાસ્તવિક ઈજા નથી. મેક-અપ દ્વારા તેના ચહેરા પર ઇજા બનાવવામાં આવી છે.
RCBએ ફરી એકવાર વિરાટ કોહલીને રિટેન કર્યો છે. તે આઈપીએલની શરૂઆતથી જ આ ટીમ માટે રમી રહ્યો છે. જો કે હજુ સુધી તેની ટીમ ચેમ્પિયન બની શકી નથી. વિરાટ હજુ પણ ટીમ સાથે જોડાયેલો છે અને 2024માં પ્રથમ IPL ટ્રોફી જીતવાનો પ્રયાસ કરશે.