સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન ફક્ત જમાતે નથી કર્યું, મીડિયાના એક વર્ગે પણ કોવિડ-19ને સાંપ્રદાયિક રંગ આપ્યો હતો
Written By newsonline | Ahmedabad | Published: 2020-04-25 09:17:04
નવી
દિલ્હી: દેશભરમાં લૉકડાઉન
વચ્ચે 101 સરકારી અધિકારીએ વિવિધ રાજ્યના
મુખ્યમંત્રીઓ-રાજ્યપાલોને મુસ્લિમોની હેરાનગતિનો ઉલ્લેખ કરતો પત્ર લખ્યો છે. આ
પત્રનો હેતુ તબલીઘી જમાતના કેસ પછી મુસ્લિમો વિરુદ્ધ જે માહોલ ઊભો કરાયો અને
મુસ્લિમો ભેદભાવનો શિકાર બન્યા તે અંગે ચેતવણી આપવાનો છે. જોકે, આ
પત્રમાં તબલીઘી જમાતની પણ ટીકા કરાઈ છે, પરંતુ
આરોપ લગાવાયો છે કે મુસ્લિમો વિરુદ્ધ દેશમાં માહોલ ઊભો થઈ રહ્યો છે. તેમાં કહ્યું
છે કે, સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન ફક્ત જમાતે
નથી કર્યું. મીડિયાના એક વર્ગે પણ કોવિડ-19ને
સાંપ્રદાયિક રંગ આપ્યો હતો.