• Home
  • News
  • હિંમતનગર-શામળાજી હાઇવે પર રોડ સાઈડ પિલ્લર સાથે સ્કોર્પિયો કાર ટકરાતાં અમદાવાદની 3 વ્યક્તિનાં મોત
post

સ્કોર્પિયોના ડેશબોર્ડ પરથી પોલીસ લખેલી પ્લેટ પણ જોવા મળી

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-10 11:00:29

હિંમતનગર શામળાજી હાઇવે પર બુધવારે રાત્રે પોણા દસેક વાગ્યાના સુમારે શામળાજી તરફથી હિંમતનગર તરફ આવી રહેલ સ્કોર્પિયો નં જીજે-27-એપી-4486 રોડ સાઈડના પિલ્લર સાથે અથડાયા બાદ ધડાકાભેર પલટી ખાઈ ગઈ હતી અને અંદર બેઠેલા 6 મુસાફરોને ગંભીર ઇજાઓ થઈ હતી તે પૈકી 3 જણાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ગાંભોઈ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ત્રણ ઇજાગ્રસ્તોને 108માં હિંમતનગર સીવીલમાં ખસેડયા હતા અને ત્રણ મૃતકોની લાશ ગાંભોઈ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી મૃતકોના પરિવારજનોને જાણ કરી હતી.

સ્કોર્પિયોના ડેશબોર્ડ પરથી પોલીસ લખેલી પ્લેટ પણ જોવા મળી હતી. મૃતકોના નામ કમલેશ ભૂસર, ધર્મેન્દ્ર વર્મા અને પપ્પુ મામા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે અને તમામ લોકો અમદાવાદના અમરાઇવાડીના હોવાનું અને તેમના પરિવારજનોના આવ્યા પછી ઓળખ થવાનું પોલીસે જણાવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post