એક દિવસની રૂ. 238 મજૂરી મળી, 40000 લોકોને કામ મળ્યું
Written By newsonline | Ahmedabad | Published: 2020-05-25 11:19:49
નંદુરબાર: ગુજરાતની
હદને અડીને આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં ગુજરાતથી વતન પરત ફરેલા
આદિવાસી શ્રમિકોને મનરેગા યોજના અંતર્ગત રોજગાર અપાયો છે. આશરે 40 હજાર
શ્રમિકોને પોતાના ગામમાં જ રોજગાર મળી રહ્યો છે. એક મજૂરને એક દિવસમાં 238 રૂપિયા
મજુરી મળે છે એના કારણે આદિવાસી લોકોની બેરોજગારી દૂર થઈ રહી છે. બધા મજૂર કામ
કરતી સમયે સોશિયલ ડિસ્ટન્સ રાખે છે અને માસ્ક બાંધીને કામ કરે છે.