સમિતિમાં પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમ, દિગ્વિજય સિંહ, જયરામ રમેશ, અમર સિંહ અને ગૌરવ ગોગોઈ સભ્ય હશે
Written By newsonline | Ahmedabad | Published: 2020-08-27 12:27:17
કોંગ્રેસે
5 સભ્યોની કમિટીની રચના
કરી છે. આ કમિટી મોદી સરકાર તરફથી લાવવામાં આવેલા ઓર્ડિનન્સ અંગે પાર્ટીની સ્ટ્રેટેજી
તૈયાર કરશે. આ સમિતિમાં પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમ, દિગ્વિજય સિંહ, જયરામ રમેશ, અમર સિંહ અને ગૌરવ ગોગોઈ
આ સમિતિના સભ્યો હશે. રમેશને સમિતિના કન્વીનર બનાવવામાં આવ્યા છે.
પાર્ટીના
જનરલ સેક્રેટરી કે સી વેણુગોપલના જણાવ્યા મુજબ પાર્ટીના ઈન્ટરીમ અધ્યક્ષ સોનિયા
ગાંધીએ 5
સભ્યોની
એક સમિતિ બનાવી છે. આ સમિતિ સરકાર તરફથી લાવવામાં આવેલા ઓર્ડિનન્સ પર પાર્ટીનું
સ્ટેન્ડ નક્કી કરશે.