પાવાગઢ ડુંગર પર આવેલા ખુણિયા મહાદેવ મંદિર બે કાંઠે પડતા ધોધમાં 70 જેટલા સહેલાણીઓ નાહવા ગયા હતા
Written By newsonline | Ahmedabad | Published: 2020-08-24 10:17:36
પાવાગઢ ડુંગર પર આવેલા ખુણિયા મહાદેવ મંદિર બે
કાંઠે પડતા ધોધમાં 70 જેટલા સહેલાણીઓ નાહવા ગયા હતા. આ દરમિયાન ભારે વરસાદ વરસતા
તમામ લોકો ફસાઈ ગયા હતા.
પાવાગઢ પોલીસ મથકના પીએસઆઈ પી.એન. સિંહને આ અંગે જાણ થતાં
બચાવ કામગીરી સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બે કલાક સુધી દિલધડક બચાવ કામગીરી
હાથ ધરીને તમામ લોકોને રેસ્ક્યૂ કર્યા હતા. સમગ્ર રેસ્ક્યુ દરમિયાન ટીમ લોકોને
કેવી રીતે પ્રવાહ ઓળંગવો તે અંગે સૂચનો આપતી રહી હતી. આ ઘટના બાદ આ સ્થળે પ્રતિબંધ
લાદવામાં આવ્યો છે.