સંબંધિત જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી, કે મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અધિકારીની પૂર્વમંજૂરી સિવાય ટેસ્ટ કરી શકાશે નહીં
Written By newsonline | Ahmedabad | Published: 2020-05-06 11:22:53
અમદાવાદ: ગુજરાત સરકારે હાલ
કોરોના પોઝિટીવ દર્દીઓના આંકડા ઊંચા જઇ રહ્યાં છે તેવાં સંજોગોમાં આ લેબોરેટરીઓ પર
ટેસ્ટ કરવા સામે નિયંત્રણ મૂકી દીધું છે. જ્યાં સુધી સરકારી અધિકારી પરવાનગી ન આપે
ત્યાં સુધી આ લેબોરેટરી કોઇપણ વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરી શકશે નહીં અને જો ટેસ્ટ
કરાયો હોય તો તેનું પરિણામ જાહેર કરી શકશે નહીં.
આરોગ્ય વિભાગે આ
લેબોરેટરીઓને જણાવ્યું છે કે આપે સંબંધિત જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી, કે
મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અધિકારીની પૂર્વમંજૂરી સિવાય ટેસ્ટ કરી
શકાશે નહીં.
આ ઉપરાંત ટેસ્ટ
કરાવવા આવેલાં તમામ લોકોના નામ, સરનામું અને
આધાર કાર્ડની ડિટેઇલ્સ સરકારને મોકલી આપવાની રહેશે.
આ તમામ સૂચનાઓનું
લેબોરેટરીઓએ કડકપણે પાલન કરવાનું રહેશે તેવી તાકીદ પણ આ હુકમમાં કરવામાં આવી છે.