સ્વચ્છ સાબરમતી માટે 9 મહિના પહેલા શરૂ થયેલા અભિયાનમાં 500 ટન કચરો કાઢવામાં આવ્યો હતો
Written By newsonline | Ahmedabad | Published: 2020-03-04 10:51:58
અમદાવાદ: દેશની સૌથી વધુ
પ્રદૂષિત નદીઓમાં સાબરમતીનો નંબર આવે છે. મે 2019માં સાબરમતીને સ્વચ્છ
રાખવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ નદીમાંથી અંદાજે 500 ટન
કચરો દૂર કરવામાં આવ્યો હતો. જો કે, હવે ફરી એકવાર સાબરમતીમાં
ગટરનું પાણી છોડવામાં આવતાં નદી પ્રદૂષિત થવા ઉપરાંત દુર્ગંધ ફેલાઈ છે. શાહપુર
પાસે આવેલા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાંથી ગટરનું પાણી સીધું નદીમાં છોડવામાં આવે છે.