ગઈકાલે સાંજે 5 વાગ્યે 50 લોકોનું ટોળું ભેગું થઈ હાથમાં થાળી વગાડી ગરબા રમતા હતા
Written By newsonline | Ahmedabad | Published: 2020-03-23 11:07:53
અમદાવાદ: કોરોના વાઇરસને ફેલાવતો રોકવા તેની ચેઇન તૂટે
તે માટે રવિવારે સમગ્ર દેશમાં જનતા કરફયુ પાળવામાં આવ્યો હતો. વડાપ્રધાને કરફ્યુ
દરમ્યાન સાંજે 5
વાગ્યે આરોગ્ય, પોલીસ, ફાયર,
મીડિયાકર્મીઓ સહિતના
લોકોના આભાર માટે ઘરની બાલ્કનીમાં ઉભા રહી થાળી વગાડવા કહ્યું હતું.
અમદાવાદમાં રાયપુર
પોલીસ ચોકી પાસે સાંજે 5
વાગ્યે 50 લોકોનું ટોળું ભેગું થઈ હાથમાં થાળી વગાડી
ગરબા રમતા હતા. કરફ્યુ દરમ્યાન બહાર ન નીકળવા સૂચના હોવા છતાં આ તમામ 50 લોકો ગરબા રમવા અને થાળી વગાડતા ખાડીયા પોલીસે
લાઉડ સ્પીકરથી વિખેરાઈ ઘરે જવા સૂચના આપી હતી. અમદાવાદમાં 144 કલમ લાગુ હોવાથી કોઈપણ જગ્યાએ 4થી વધુ વ્યક્તિ ભેગી ન થઈ શકતા હોવા છતાં
ટોળું ભેગું થતાં ખાડીયા પોલીસે 20 લોકોના નામજોગ સહિત 50ના ટોળા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.