• Home
  • News
  • કોરોના ઇફેક્ટ:અમદવાદ એરપોર્ટ પર ગત વર્ષની સરખામણીએ એપ્રિલથી ઓક્ટોબરમાં એર મુસાફરો 85% ઘટ્યા
post

ડોમેસ્ટિક ફ્લાઈટના મુસાફરોમાં પણ 80.2 ટકાનો ઘટાડો નોંધાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-30 12:29:36

એરપોર્ટ પર ગત વર્ષની તુલનાએ ઓક્ટોબરમાં કુલ પેસેન્જરોની સંખ્યામાં 62 ટકા જેટલો તેમજ એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન 85 ટકા ઘટાડો નોંધાયો હતો. ઓક્ટોબરમાં અમદાવાદથી 226 ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં 15856 પેસેન્જરોએ મુસાફરી કરી હતી. ગત વર્ષે ઓક્ટોબરમાં 757703 પેસેન્જરોએ મુસાફરી કરી હતી, જ્યારે આ વર્ષે ઓક્ટોબરમાં 342597 ડોમેસ્ટિક પેસેન્જરો મુસાફરી કરતા 54.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન ગત વર્ષે 5208439 પેસેન્જરની તુલનામાં આ વર્ષે કુલ 1029293 પેસેન્જરો નોંધાતા 80.2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઇન્ટરનેશનલ પેસેન્જરોની સંખ્યામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓક્ટોબરમાં 91.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post