ઈન્ટેલિજન્સના ઈનપુટ પછી સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું
શોપિયાં: જમ્મુ-કાશ્મીરના
શોપિયામાં પિંજોરા વિસ્તારમાં સેનાએ સોમવારે એન્કાઉન્ટરમાં 4 આતંકીઓને ઠાર કર્યા છે.
આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળતાં સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ પહેલાં
રવિવારે શોપિયાના જ રેબન ગામમાં 5 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. એન્કાઉન્ટરમાં
પુલવામા અને કુલુગામના હિજ્બુલ કમાન્ડર ફારુક અહમદ બટ ઉર્ફે નાલીને પણ ઠાર કરાયો
હતો. તે A++
આંતકીઓના
લિસ્ટમાં હતો.
8 દિવસમાં 6 એન્કાઉન્ટર, 18 આતંકીઓ ઠાર
ઈન્ટેલિજન્સ
એજન્સીએ ગયા મહિને પાકિસ્તાનથી આતંકીઓની ઘૂસણખોરીનું એલર્ટ આપ્યું હતું. ત્યારપછી
સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
1 જૂન: નૌશેરા સેક્ટરમાં
ઘૂસણખોરીનો પ્રયત્ન કરતાં 3
પાકિસ્તાની
આતંકીઓને સેનાએ ઠાર કર્યા હતા.
2 જૂન:
પુલવામાના ત્રાલ વિસ્તારમાં 2 આતંકીઓને ઠાર કરાયા
3 જૂન:
પુલવામાના કંગન વિસ્તારમાં સેનાએ 3 આતંકીઓને માર્યા
5 જૂન:
રાજૌરી જિલ્લાના કાલાકોટમાં એક આતંકીને મારવામાં આવ્યો.
7 જૂન:
શોપિયાંના રેબન ગામમાં 5
આતંકીઓને
મારવામાં આવ્યા
8 જૂન:
શોપિયાંના પિંજોરા વિસ્તારમાં 4 આતંકી ઠાર કરાયા