16 ઓક્ટોબર 2019ના રોજ સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી પૂર્ણ થઇ
અયોધ્યા વિવાદઃ 1526થી અત્યાર સુધી
1526 : ઇતિહાસકારો અનુસાર, બાબર ઇબ્રાહિમ લોદી સાથે યુદ્ધ લડવા 1526માં ભારત આવ્યો હતો. બાબરના સુબેદાર મીરબાકીએ 1528માં અયોધ્યામાં મસ્જીદ બનાવી. બાબરના સન્માનમાં તેનું નામ બાબરી મસ્જીદ રાખવામાં આવ્યું.
1853 : અવધના નવાબ
વાજીદ અલી શાહના સમયમાં પહેલીવાર અયોધ્યામાં સાંપ્રદાયિક હિંસા ભડકી. હિન્દુ
સમુદાયે કહ્યું કે મંદિર તોડીને મસ્જીદ બનાવવામાં આવી છે.
1949 : વિવાદિત
સ્થળે સેન્ટ્રલ ડોમની નીચે રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી.
1950 : હિન્દુ
મહાસભાના વકીલ ગોપાલ વિશારદે ફૈઝાબાદ જિલ્લા અદાલતમાં અરજી કરીને રામલલ્લાની
મૂર્તિની પૂજાના અધિકારની માગ કરી.
1959 : નિર્મોહી
અખાડાએ વિવાદિત સ્થળ પર માલિકી હક દર્શાવ્યો.
1961 : સુન્ની
વક્ફ બોર્ડ(સેન્ટ્રલ)એ મૂર્તિ સ્થાપિત કરવાના વિરોધમાં કોર્ટમાં અરજી કરી અને
મસ્જીદ અને તેની આસપાસની જમીન પર પોતાનો હક દર્શાવ્યો.
1981 : ઉત્તર
પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે જમીનના માલિકી હક માટે કેસ દાખલ કર્યો.
1885 : ફૈઝાબાદ
જિલ્લા કોર્ટે રામ ચબુતરે છત્રી લગાવવાની મહંત રઘુબીર દાસની અરજી ઠુકરાવી.
1989 : અલાહાબાદ
હાઈકોર્ટે વિવાદિત સ્થળે યથાસ્થિતિ જાળવી રાખવા કહ્યું.
1992 : અયોધ્યામાં
વિવાદિત ઢાંચાનો ધ્વંશ કરવામાં આવ્યો.
2002 : અલાહાબાદ
હાઈકોર્ટે વિવાદિત ઢાંચાવાળી જમીનના માલિકી હકને લઇને દાખલ અરજીઓ પર સુનાવણી હાથ
ધરી
2010 : અલાહાબાદ
હાઈકોર્ટે 2:1થી ચુકાદો
આપ્યો અને વિવાદિત સ્થળની સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલ્લા
વચ્ચે ત્રણ ભાગમાં સરખી વહેચણી કરી.
2011 : સુપ્રીમ
કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય સામે રોક લગાવી.
2016 : સુબ્રમણ્યમ
સ્વામીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને વિવાદિત સ્થળે રામ મંદિરના નિર્માણની મંજૂરી
માગી
2018 : સુપ્રીમ
કોર્ટે અયોધ્યા વિવાદને લઇને દાખલ વિભિન્ન અરજીઓ પર સુનાવણી શરૂ કરી.
6 ઓગસ્ટ 2019 : સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠે
અલહાબાદ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ હિન્દુ અને મુસ્લીમ પક્ષની અપીલો પર સુનાવણી
શરૂ કરી.
16 ઓક્ટોબર 2019 : સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી
પૂર્ણ થઇ.