કોરોના મહામારીના કારણે 5 જુલાઇ સુધી ભાવિકો દર્શન કરી શકશે નહીં
Written By newsonline | Ahmedabad | Published: 2020-06-06 10:08:34
ભાવનગર: હજારો ભાવિકોના
આસ્થાનું કેન્દ્ર બગદાણાધામ ભાવિકો માટે 5 જુલાઇ
સુધી બંધ રહેશે તેનો ટ્રસ્ટી મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ ગુરૂપૂર્ણિમાની
પણ ઉજવણી કરવામાં આવશે નહીં. દર વર્ષે બગદાણામાં લાખો ભાવિકોની હાજરીમાં
ગુરૂપૂર્ણિમાની ઉજવણી થતી હોય છે. ત્યારે આ વર્ષે કોરોનાની મહામારીને કારણે
ટ્રસ્ટી મંડળે ઉજવણી રદ કરી છે. ભજન અને ભોજનનો સંગમ એટલે સંત બજરંગદાસ બાપાનો
ગુરૂ આશ્રમ. હાલ મંદિરમાં પૂજારી દ્વારા આરતી કરવામાં આવે છે અને ભાવિકો માટે
દર્શન બંધ છે.