બનાસકાંઠામાં ફરીથી સામુહિક હત્યાકાંડ સામે આવતા ચકચાર મચી ગઇ છે
બનાસકાંઠા : બનાસકાંઠામાં ફરીથી સામુહિક હત્યાકાંડ સામે આવતા ચકચાર મચી
ગઇ છે. બનાસકાંઠાનાં લાખણીનાં ભકડીયાલ ગામમાં પુત્રએ પોતાની માતા, પત્ની અને
પુત્રની કુહાડીનાં ઘા મારીને હત્યા કરી નાંખી છે. આ સમાચાર આગની જેમ ફેલાતા જોવા માટે લોકોનાં
ટોળે ટોળા આવ્યાં છે. આ અંગે આગથળા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી
છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે
બનાસકાંઠાનાં લાખણીનાં ભડકીયાલ ગામમાં એક જ પરિવારનાં ત્રણ જણની હત્યા કરવામાં આવી
છે. ઘરનાં પુત્રએ જ તેનાં માતા, પત્ની તથા તેના બાળકની કુહાડીનાં ઘા
મારીને મોતને ઘાટ ઉતાર્યા છે. હાલ આ અંગે પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી
રહી છે.
નોંધનીય
છે કે ગત જૂન મહિનામાં બનાસકાંઠાના લાખણીના કુડામાં એક પરિવારના ચાર સભ્યોની ઘાતકી
હત્યા કરી હતી. એક જ ચૌધરી પટેલના પાંચ સભ્યોમાંથી 4 લોકોની હત્યા
કરવામાં આવી હતી. બનાસકાંઠાના લાખણીના કુડા ગામે એક જ પરિવારના 4 લોકોની
હત્યા કરાઇ હોવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં એક જ પરિવારના 5 લોકોમાંથી
4 લોકોની
હત્યા કરી દેવાઇ જ્યારે અન્ય એક વ્યક્તિની ગંભીર હાલતમાં છે. તમામને ગળાના ભાગે
તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા.