• Home
  • News
  • બનાસકાંઠામાં સામુહિક હત્યાકાંડ,માતા, પત્ની અને પુત્રની હત્યા કરી યુવાન ફરાર
post

બનાસકાંઠામાં ફરીથી સામુહિક હત્યાકાંડ સામે આવતા ચકચાર મચી ગઇ છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-02 12:48:30

બનાસકાંઠા : બનાસકાંઠામાં ફરીથી સામુહિક હત્યાકાંડ સામે આવતા ચકચાર મચી ગઇ છે. બનાસકાંઠાનાં લાખણીનાં ભકડીયાલ ગામમાં પુત્રએ પોતાની માતા, પત્ની અને પુત્રની કુહાડીનાં ઘા મારીને હત્યા  કરી નાંખી છે. આ સમાચાર આગની જેમ ફેલાતા જોવા માટે લોકોનાં ટોળે ટોળા આવ્યાં છે. આ અંગે આગથળા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે બનાસકાંઠાનાં લાખણીનાં ભડકીયાલ ગામમાં એક જ પરિવારનાં ત્રણ જણની હત્યા કરવામાં આવી છે. ઘરનાં પુત્રએ જ તેનાં માતા, પત્ની તથા તેના બાળકની કુહાડીનાં ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યા છે. હાલ આ અંગે પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહી છે.

નોંધનીય છે કે ગત જૂન મહિનામાં બનાસકાંઠાના લાખણીના કુડામાં એક પરિવારના ચાર સભ્યોની ઘાતકી હત્યા કરી હતી. એક જ ચૌધરી પટેલના પાંચ સભ્યોમાંથી 4 લોકોની હત્યા કરવામાં આવી હતી. બનાસકાંઠાના લાખણીના કુડા ગામે એક જ પરિવારના 4 લોકોની હત્યા કરાઇ હોવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં એક જ પરિવારના 5 લોકોમાંથી 4 લોકોની હત્યા કરી દેવાઇ જ્યારે અન્ય એક વ્યક્તિની ગંભીર હાલતમાં છે. તમામને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા.