• Home
  • News
  • ભારતે નિકાસ રોક્યા બાદ બાંગ્લાદેશમાં ડુંગળી 220 રૂપિયે કિલો
post

બાંગ્લાદેશમાં ડુંગળીના ભાવ રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યા બાદ સરકારે પ્લેન મારફતે તાત્કાલિક ડુંગળીની આયાત કરવાનો નિર્ણય લીધો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-18 11:35:26

ઢાકા : બાંગ્લાદેશમાં ડુંગળીના ભાવ રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યા બાદ સરકારે પ્લેન મારફતે તાત્કાલિક ડુંગળીની આયાત કરવાનો નિર્ણય લીધો છે. એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી. જોકે, આ પહેલા બાંગ્લાદેશની વડાંપ્રધાન શેખ હસીનાએ પોતાના ભોજનની યાદીમાંથી ડુંગળીને હટાવી દીધી હતી.

ભારત દ્વારા નિકાસ રોકાયા બાદ તેના પડોશી દેશોમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ભારતમાં ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે ડુંગળીના પાકને નુકસાન થયું જેનાથી ઉત્પાદન ઓછું થયું છે. દક્ષિણ એશિયાના દેશોમાં ડુંગળી ભોજનનો મહત્વપૂર્ણ હિસ્સો છે અને તે રાજકીય રીતે પણ ઘણું સંવેદનશીલ ખાદ્ય ઉત્પાદન છે.

બાંગ્લાદેશમાં એક કિલો ડુંગળીનો ભાવ સામાન્ય રીતે 30 ટકા (લગભગ 25 રૂપિયા કિલો) રહે છે પરંતુ ભારતથી નિકાસ બંધ થતાં અને ઉપલબ્ધતા ઓછી હોવાના કારણે ડુંગળીના ભાવ ઝડપથી વધીને 260 ટકા (ભગભગ 220 રૂપિયા કિલો) પર પહોંચી ગયો.

બાંગ્લાદેશની વડાંપ્રધાન શેખ હસીનાના ઉપ-પ્રેસ સચિવ હસન જાહિદ તુષારે એએફપીને કહ્યુ કે, ડુંગળી પ્લેન મારફતે મંગાવવામાં આવી રહી છે. બીજી તરફ વડાંપ્રધાને કહ્યું કે, તેઓએ પોતાના ભોજનમાં ડુંગળીનો ઉપયોગ બંધ કરી દીધો છે. તેઓએ કહ્યુ કે, ઢાકામાં વડાંપ્રધાન આવાસ પર કોઈ પણ ભોજનમાં ડુંગળીનો ઉપયોગ નથી કરવામાં આવી રહ્યો.

સ્થાનિક મીડિયા અનુસાર ડુંગળીના અનેક ડિલિવરી મુખ્ય પોર્ટ ચટિગાંવ શહેરમાં રવિવારે પહોંચી છે. જનતાના રોષને જોતાં મ્યાનમાર ,તુર્કી, ચીન  અને ઈજિપ્ત થી ડુંગળીની આયાત કરવામાં આવી રહી છે.

adv

Related News

post
post
post
post
post
post
post